Posts

Showing posts from June 7, 2017

શું નેતાઓં ‘શ્રી રામ’ જેવા ગુણ કેળવશે ?

Image
-જનકસિંહ ઝાલા કોઈ પણ વ્યક્તિ નેતા છે એટલે તેનામાં સફળ નેતૃત્વના ગુણો ભરેલા જ હોઈ તેવું કદી પણ ન કહી શકાય પરંતુ હા જેનામાં સફળ નેતૃત્વ કરવાની ક્ષમતા છે તે અચૂક નેતા બની શકે છે. ભગવાન શ્રી રામનું જ દ્રષ્ટાંત લઈ લો. રામ પોતાના જે ગુણોના કારણે પ્રજાના પ્રિય રાજા બન્યાં તેમાનો એક ગુણ સફળ નેતૃત્વનો પણ હતો. આવતીકાલે સમગ્ર દેશમાં ભગવાન રામની જન્મજયંતી હર્ષોલ્લાસથી ઉજવવામાં આવશે ત્યારે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે જો આજના નેતાઓ રામના ચરિત્ર પરના કેટલાક ગુણોને આત્મસાત કરે તો આ યુગમાં ફરીથી રામ રાજ્યની સ્થાપના થઈ શકે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.  (1) નેતૃત્વને ટીમ સ્પિરીટ ક્વોલિટી : સીતાહરણ બાદ જંગલમાં રામ માટે સેનાની રચના કરવી અત્યંત કઠીન કાર્ય હતું પરંતુ નેતૃત્વ ક્ષમતાના જોરે તેમણે વાનરોને એકઠા કર્યા, સાથે જ ટીમ ભાવનાથી યુદ્ધમાં પણ વિજય મેળવ્યો. શીખ : મોરચા પર એકલા લડવાને બદલે ટીમ પર વિશ્વાસ રાખવાનું શીખો. (2) કાર્ય પ્રત્યે ગંભીરતા : સીતાથી અલગ થવાના કપરા સમયમાં પણ રામ વ્યાકુળ ન થયાં અને પોતાની ભાવનાઓ પર કાબૂ રાખીને તેમણે સીતાને પરત લાવવાની નીતિ બનાવી. ક