tag:blogger.com,1999:blog-90441419996509809722024-03-14T00:47:53.780-07:00અટામણJanakhttp://www.blogger.com/profile/06111052162931161072noreply@blogger.comBlogger19125tag:blogger.com,1999:blog-9044141999650980972.post-89621020323200237152017-09-02T06:51:00.000-07:002017-09-02T06:52:16.125-07:00<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<span display="inline"></span><br />
<div data-contents="true">
<div class="" data-block="true" data-editor="5pr35" data-offset-key="ch14-0-0">
<div class="_1mf _1mj" data-offset-key="ch14-0-0" style="text-align: justify;">
<span data-offset-key="ch14-0-0"><span data-text="true">નગરસેવકે તાળા તોડી લોકો માટે ‘જાજરૂ’ ખોલાવ્યાં !</span></span></div>
</div>
<div class="" data-block="true" data-editor="5pr35" data-offset-key="d75v2-0-0">
<div class="_1mf _1mj" data-offset-key="d75v2-0-0" style="text-align: justify;">
<span data-offset-key="d75v2-0-0"><br data-text="true" /></span></div>
</div>
<div class="" data-block="true" data-editor="5pr35" data-offset-key="chtg9-0-0">
<div class="_1mf _1mj" data-offset-key="chtg9-0-0" style="text-align: justify;">
<span data-offset-key="chtg9-0-0"><span data-text="true">-જનકસિંહ ઝાલા</span></span></div>
</div>
<div class="" data-block="true" data-editor="5pr35" data-offset-key="7vrlh-0-0">
<div class="_1mf _1mj" data-offset-key="7vrlh-0-0" style="text-align: justify;">
<span data-offset-key="7vrlh-0-0"><span data-text="true">આપણી જૂની ફિલ્મોમાં કોઈ જમીનદારે ગરીબ ખેડૂતો પાસેથી પડાવીને પોતાના મોટા કોઠારોમાં સાચવેલુ અનાજ અને બાદમાં લોકો માટે એ કોઠારોના તાળા તોડનારા સુપરનાયકોને આપણે જોયા છે પરંતુ ક્યારેય એ ધાન ખાધા પછી પેટમાં વધેલા કચરાના નિકાલ માટે શૌચાલય ખૂલ્લા કરાવતો કોઈ ભડવીર જોયો ખરો ? કહેવા સાંભળવામાં હાસ્યાસ્પદ લાગતી આ વાત જ્યારે વાસ્તવિક જીવનમાં ઘટે તો ? ખરેખર એવો ઘટનાક્રમ બન્યો છે. તાળા તોડનારો સુપરનાયક ભાજપનો છે કે,કોંગ્રેસનો કોર્પોરેટર એ વાતમાં મારે પડવું નથી પણ હુ અચૂક કહીશ કે, તે ‘ફૂલપ્રૂફ’ પ્રજાનો સેવક સાબીત થયો છે. </span></span></div>
</div>
<div class="" data-block="true" data-editor="5pr35" data-offset-key="den16-0-0">
<div class="_1mf _1mj" data-offset-key="den16-0-0" style="text-align: justify;">
<span data-offset-key="den16-0-0"><br data-text="true" /></span></div>
</div>
<div class="" data-block="true" data-editor="5pr35" data-offset-key="9kku9-0-0">
<div class="_1mf _1mj" data-offset-key="9kku9-0-0" style="text-align: justify;">
<span data-offset-key="9kku9-0-0"><span data-text="true">રાજકોટ પર આ વખતે મેઘરાજાએ મન ભરીને હેત વરસાવ્યું છે. ડેમોમાં નવા નીરની સાથોસાથ જમીનના તળ પણ ઉંચા આવ્યાં છે. જો કે, આ વરસાદે કેટલાક ચહેરા પર ખૂશી તો કેટલાક ચહેરાઓને મુશ્કેલીમાં મૂકી દીધા છે. શહેરના મવડી વિસ્તારમાં આવેલી શ્રીનાથજી અને વિનાયક સોસાયટીની જ વાત લઈ લો, વરસાદને પગલે આ બન્ને સોસાયટીમાં લોકોના ઘર સૂધી પાણી ઘૂસી ગયાં, પાણી ચોખ્ખુ હોય તો ઠીક પરંતુ અહીં તો રૂમ અને રસોડા સુધી ભૂર્ગભ ગટરનું પાણી પહોંચી ગયું. બાથરૂમ-ટોઈલેટ ચોક થઈ ગયાં અને લત્તાવાસીઓ અને ખાસ કરીને મહિલાઓ માટે કપરી સ્થિતીનું નિર્માણ થયું. કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓએ તો ફોન ઉપાડવાનું જ જાણે બંધ કરી દીધુ.</span></span></div>
</div>
<div class="" data-block="true" data-editor="5pr35" data-offset-key="629tf-0-0">
<div class="_1mf _1mj" data-offset-key="629tf-0-0" style="text-align: justify;">
<span data-offset-key="629tf-0-0"><br data-text="true" /></span></div>
</div>
<div class="" data-block="true" data-editor="5pr35" data-offset-key="9ig09-0-0">
<div class="_1mf _1mj" data-offset-key="9ig09-0-0" style="text-align: justify;">
<span data-offset-key="9ig09-0-0"><span data-text="true">બીજીતરફ ઠંડકના આ માહોલમાં લઘુશંકા માટે ક્યાં જવું ? લોકો શૌચક્રિયા જેવી રોજીંદી પ્રવૃતિઓ કરી શકે તેમ ન હતાં. અહીં તો પડોશી પણ મદદરૂપ થઈ શકે તેમ ન હતો કારણ કે, તેના ઘરની પણ એ જ સ્થિતી હતી. આ વિકટ સ્થિતીથી ત્રસ્ત એક વ્યક્તિ એ તો કેરોસીનનું ડબલુ લઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરેલો. આ સમયે કોર્પોરેટર વિજય વાંકે અન્ય નગરસેવકોને સાથે રાખીને વોર્ડ ઓફિસના તાળા તોડયાં જેથી લોકો જાજરૂ કરી શકે. </span></span></div>
</div>
<div class="" data-block="true" data-editor="5pr35" data-offset-key="678bi-0-0">
<div class="_1mf _1mj" data-offset-key="678bi-0-0" style="text-align: justify;">
<span data-offset-key="678bi-0-0"><br data-text="true" /></span></div>
</div>
<div class="" data-block="true" data-editor="5pr35" data-offset-key="frhi3-0-0">
<div class="_1mf _1mj" data-offset-key="frhi3-0-0" style="text-align: justify;">
<span data-offset-key="frhi3-0-0"><span data-text="true">વિજયભાઈને અમે જનરલ બોર્ડમાં અનેક વખત જોયા છે, થોડા શોર્ટ ટેમ્પર છે, ગુસ્સો જલ્દી આવી જાય છે, ક્યારેક ધોલધપાટ કર્યાના કિસ્સા અમે ખૂદ અમારા હાથે લખ્યાં છે, આ તમામ બાબતો વચ્ચે એક વાત સત્ય છે કે, તેમનો રોષ ક્યાંકને ક્યાંક જનઆક્રોશ હોય છે, તેમના ગુસ્સામાં લોકોની વેદના સમાયેલી હોય છે. જે પણ હોય તે સામે કહી દેવું તેમની ખાસિયત છે...વિજયભાઈ..ખૂબ..ખૂબ આભાર..</span></span></div>
</div>
</div>
</div>
Janakhttp://www.blogger.com/profile/06111052162931161072noreply@blogger.comtag:blogger.com,1999:blog-9044141999650980972.post-59045153905897897582017-09-02T06:50:00.001-07:002017-09-02T06:50:09.845-07:00આઘા રેજો ..હું વિકાસ...ગાંડો થયો છું..!<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<br />
<div style="text-align: justify;">
હાય ફ્રેન્ડ્સ ! મને ઓળખ્યો
હું છુ વિકાસ..હું હવે ખરેખર ગાંડો થયો છું..આખરે કેમ ન થાઉ ? પાગલ થવા
માટે મારે કોઈનું સર્ટીફિકેટ લેવાની જરૂર નથી...</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
<span class="text_exposed_show"><br /></span></div>
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiwrEHbp-X2AHhIuVozs13uvbC7PLKcBY8BRsillcZnoeiT5SnebqT1YC3y3wLoh4_Qn8ekxwSql-F8IN0hEGegovH9ozToVGs3HT-MZskT_VUXsZiA_a9KFbppfiIpfRwBDbnZCVAlYWG4/s1600/21199637_10212499753280250_5499316796593456215_o.jpg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="691" data-original-width="720" height="307" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiwrEHbp-X2AHhIuVozs13uvbC7PLKcBY8BRsillcZnoeiT5SnebqT1YC3y3wLoh4_Qn8ekxwSql-F8IN0hEGegovH9ozToVGs3HT-MZskT_VUXsZiA_a9KFbppfiIpfRwBDbnZCVAlYWG4/s320/21199637_10212499753280250_5499316796593456215_o.jpg" width="320" /></a></div>
‘નોટબંધી’ વખતે
પેલા નેતાઓએ મારા નામ પર ખૂબ હલાવ્યું..સાલાઓએ કહ્યું કે, દેશમાંથી કાળુ
નાણું પાછુ લાવવું છે, આંતકવાદનો સફાયો કરવો છે અને જૂની નોટોને ચલણમાંથી
પાછી ખેંચવી છે..આ બધુ થશે તો જ દેશનો વિકાસ થશે..પણ થયું શું ? રિર્ઝવ
બેન્કના જે આંકડા સામે આવ્યાં તેનાથી સ્પષ્ટ થઈ ગયું કે, માત્ર એક ટકા
નોટોને બાદ <span class="text_exposed_show">કરતા તમામ નોટો બેન્કમાં જમા થઈ ચૂકી હતી.તો પછી ક્યાં ગયું કાળુ નાળુ ?</span><br />
<span class="text_exposed_show"> </span><br />
નોટબંધી વખતે મને દેશમાં લાવવા માટે જ મારા દેશનો નાગરિક કલાકો સુધી બેન્ક
અને એટીએમની લાઈનોમાં ઉભો રહ્યો, કેટલાકને હાર્ટ એટેક આવ્યાં તો કેટલાક
જીવથી ગયાં, પણ મારા નામે ચરી ખાનારાઓ એ નેતાઓનું કંઈ ન થયું તેમણે તો એ
સમયે પણ કરોડો કાઢીને પોતાના છોકરાઓને પરણાવી નાખ્યાં. આ દેશમાં આવા અનેક
નેતાઓ છે, અનેક આવશે અને કેટલાક તો વગર ચૂંટણીએ જીતી પણ જશે કારણ તેમને
મારું નામ વાપરવાની ટેવ જો પડી ગઈ છે.<br />
<div class="text_exposed_show" style="text-align: justify;">
<br />
ચૂંટણી સભા સંબોધતી વખતે
માઈકના ભૂંગળામાં થૂકના લપરડા થઈને વહેવા ન માંડે ત્યાં સુધી તેઓ પોતાની
જીભમાંથી મારુ નામ લેવાનું ચૂકતા જ નથી, એકને એકવાતનું પુનરાવર્તન...વિકાસ
કરીશું..વિકાસ લાવીશું.. સાલા જૂઠ્ઠાઓ..શું ખરેખર મને લાવવાની છે તમારામાં
હિમત ? મૂર્ખો હું વિકાસ છું કોઈ ગધેડો નથી કે, તમારા રાજકીય કાવાદાવા અને
જુઠ્ઠાણાઓનો ભાર મૂંગા મોઢે વેઠતો ફરું..અને મને જો ગધેડો જ માની બેઠા હોઈ
તો એ ના ભૂલતા કે, આ ગધેડાની એક લાત પડીને તો ક્યારેય સંસદભવનમાં પગ
મૂકવાને લાયક નહીં રહો. શું હું નથી જાણતો કે, નોટબંધી બાદ ખુદ રિઝર્વ
બેન્કની આવક અડધી થઈ ગઈ છે ત્યારે રાજકીય ફાયદા માટે મારી સાથોસાથ આ
બેન્કની શાખને પણ શા માટે દાવ પર લગાડો છો ?<br />
<br />
ગત વર્ષે એપ્રિલ-જૂન
2016-17માં જીડીપી 7.9 ટકા હતી અને આ વર્ષે 5.7 ટકા થઈ ગઈ, નોટબંધી અને
જીએસટીના ફાયદા જણાવનારા નેતાઓ મને જણાવશો કે, જીડીપી કેમ ઘટતી જાય છે.
ક્યાં ગયું તમારું મેક ઈન ઈન્ડિયા ? ક્યાં ગયું તમારુ સ્કિલ ઈન્ડિયા ?
હવામાં ઓગળી ગયાં કે શું ? તમે શું વિકાસ લાવશો...તમે તો માત્ર લાવી
શકો..બેરોજગારી..અને માત્ર બેરોજગારી...<br />
<br />
હું વિકાસ છું અને હું
ખરેખર ગાંડો થઈ ચક્યો છું.. આતા માઝી સટકલી...આ નેતાઓ અને તેના જુઠ્ઠાણાઓ
મને ગાંડો કર્યો છે, હું ખરેખર આવવા ઈચ્છુ છું પણ જ્યાં સુધી આ ભ્રષ્ટ
નેતાઓ સુકાની છે ત્યા સુધી મને આ દેશમાં પ્રવેશવા નહી દે..આ નેતાઓનું
જુઠ્ઠાણુ મને અંદરથી કોરી ખાય છે..બસ હવે તો માત્ર એક જ ઉપાય છે..મારા
નામને જોડતું એક પણ સ્લોગન જો આપને ક્યાં દેખાય તો પ્લીઝ આવતા મંગળવારે
દૂંદાળાદેવની મૂર્તિ સાથે તેનું પણ વિસર્જન કરી નાખશો.<br />
<br />
કમ સે
કમ..આગામી ચૂંટણી સુધી પછી એક પણ રાજકારણી મારુ નામ તો નહીં લે...ગાંડા,
રઘવાયા, આ વિકાસના દેશની જનતાને છેલ્લા રામ..રામ...અસ્તુ <span class="_5mfr _47e3"><img alt="" class="img" height="16" role="presentation" src="https://www.facebook.com/images/emoji.php/v9/f57/1.5/16/1f44f.png" width="16" /><span class="_7oe">👏</span></span><span class="_5mfr _47e3"><img alt="" class="img" height="16" role="presentation" src="https://www.facebook.com/images/emoji.php/v9/f57/1.5/16/1f44f.png" width="16" /><span class="_7oe">👏</span></span><span class="_5mfr _47e3"><img alt="" class="img" height="16" role="presentation" src="https://www.facebook.com/images/emoji.php/v9/f57/1.5/16/1f44f.png" width="16" /><span class="_7oe">👏</span></span><span class="_5mfr _47e3"><img alt="" class="img" height="16" role="presentation" src="https://www.facebook.com/images/emoji.php/v9/f57/1.5/16/1f44f.png" width="16" /><span class="_7oe">👏</span></span><br />
<br />
-જનકસિંહ ઝાલા</div>
</div>
Janakhttp://www.blogger.com/profile/06111052162931161072noreply@blogger.comtag:blogger.com,1999:blog-9044141999650980972.post-8428589800019939472017-06-07T10:03:00.001-07:002017-06-07T10:03:51.518-07:00શું નેતાઓં ‘શ્રી રામ’ જેવા ગુણ કેળવશે ?<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div class="_5pbx userContent" data-ft="{"tn":"K"}" id="js_7">
<br />
-જનકસિંહ ઝાલા<br />
<div style="text-align: justify;">
</div>
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgM0ZA2yTdbkbXwNFqstFQ5LijnSf3QnI5kgFe0Ms6_ITbhitzRaJkTR-1cgqsRc4jjtOJmhs9Ca0WQV43TkrXCLiewFX7xAVFULNqE-4-_qAmtUAiSaEv0hYcJaabhRPwc1FxIA8r36z49/s1600/17759707_10211133292119575_27151393693571526_n.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="540" data-original-width="960" height="360" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgM0ZA2yTdbkbXwNFqstFQ5LijnSf3QnI5kgFe0Ms6_ITbhitzRaJkTR-1cgqsRc4jjtOJmhs9Ca0WQV43TkrXCLiewFX7xAVFULNqE-4-_qAmtUAiSaEv0hYcJaabhRPwc1FxIA8r36z49/s640/17759707_10211133292119575_27151393693571526_n.jpg" width="640" /></a></div>
<div style="text-align: justify;">
કોઈ પણ વ્યક્તિ નેતા છે એટલે તેનામાં સફળ નેતૃત્વના ગુણો ભરેલા જ હોઈ
તેવું કદી પણ ન કહી શકાય પરંતુ હા જેનામાં સફળ નેતૃત્વ કરવાની ક્ષમતા છે તે
અચૂક નેતા બની શકે છે. ભગવાન શ્રી રામનું જ દ્રષ્ટાંત લઈ લો. રામ પોતાના
જે ગુણોના કારણે પ્રજાના પ્રિય રાજા બન્યાં તેમાનો એક ગુણ સફળ નેતૃત્વનો પણ
હતો. આવતીકાલે સમગ્ર દેશમાં ભગવાન રામની જન્મજયંતી હર્ષોલ્લાસથી ઉજવવામાં
આવશે ત્યારે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે જો આજના નેતાઓ રામના
ચરિત્ર પરના કેટલાક ગુણોને આત્મસાત કરે તો આ યુગમાં ફરીથી રામ રાજ્યની
સ્થાપના થઈ શકે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
<b>(1) નેતૃત્વને ટીમ
સ્પિરીટ ક્વોલિટી :</b> સીતાહરણ બાદ જંગલમાં રામ માટે સેનાની રચના કરવી અત્યંત
કઠીન કાર્ય હતું પરંતુ નેતૃત્વ ક્ષમતાના જોરે તેમણે વાનરોને એકઠા કર્યા,
સાથે જ ટીમ ભાવનાથી યુદ્ધમાં પણ વિજય મેળવ્યો.</div>
<div style="text-align: justify;">
શીખ : મોરચા પર એકલા લડવાને બદલે ટીમ પર વિશ્વાસ રાખવાનું શીખો.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
<b>(2) કાર્ય પ્રત્યે ગંભીરતા :</b> સીતાથી અલગ થવાના કપરા સમયમાં પણ રામ વ્યાકુળ
ન થયાં અને પોતાની ભાવનાઓ પર કાબૂ રાખીને તેમણે સીતાને પરત લાવવાની નીતિ
બનાવી. કામ પ્રત્યેની પોતાની ગંભીરતાને કારણે તેને અંજામ સુધી પણ
પહોચાંડયું.</div>
<div style="text-align: justify;">
શીખ : મુસીબત વેળાએ ગભરાશો નહીં પરંતુ સામનો કરવાની ઉચિત નીતિ બનાવો.</div>
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
</div>
<div style="text-align: justify;">
<b>(3) પારદર્શકતા : </b>એક નેતા માટે પારદર્શી હોવું અત્યંત આવશ્યક છે. સીતાના
પાછા આવવા પર જ્યારે લોકોએ તેમની પવિત્રતા તરફ આંગળી ચીંધી તો રામે પોતાની
પારદર્શિતાનો પરિચય અપાવતા પોતાની પ્રેમાળ પત્નીની અગ્નિપરીક્ષા લઈ લીધી. </div>
<div style="text-align: justify;">
શીખ : ન્યાય એવો હોવો જોઈએ જેમાં શંકાને કોઈ સ્થાન ન હોવું જોઈએ.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
<b>(4) ત્યાગ :</b> વિશ્વામિત્રએ જ્યારે રામને રાક્ષસોનો વધ કરવા માટે પોતાની
સાથે જંગલમાં ચાલવાનું કહ્યું તો તેમણે રાજમહેલની તમામ સુખ-સમૃદ્ધિનો
ક્ષણવારમાં ત્યાગ કરી દીધો.ભરતને રાજસિહાસન મળે તેના માટે તેમણે 14 વર્ષનો
વનવાસ પણ વેઠયો. </div>
<div style="text-align: justify;">
શીખ : પ્રજાના હિત માટે સ્વયંના સુખનો ત્યાગ કરવો પડે તો પણ પાછળ હટવું ન જોઈએ.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
<b>(5) દૂરદ્રષ્ટિ :</b> રામે સ્વયંની દૂરદ્રષ્ટિથી એ જાણી લીધુ હતું કે, રાવણનો
વધ કરવા માટે વિભિષણની મદદ અત્યંત આવશ્યક છે. વિભિષણમાં તેમને એક સારા રાજા
બનવાના ગુણ પણ દેખાયા એ જ કારણોસર બાદમાં લંકાનું રાજ્ય તેમણે વિભિષણને
આપ્યું. </div>
<div style="text-align: justify;">
</div>
<div style="text-align: justify;">
શીખ : નિર્ણય લીધા પહેલા તેના દૂરગામી પરિણામો તરફ એકવાર અવશ્ય દ્રષ્ટિપાત કરી લેવો જોઈએ.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
<b>(6) વચનબદ્ધતા : </b>રામ પોતાના વાયદાના પાક્કા હતાં.સુગ્રીવ સાથે મિત્રતા
કરતી વખતે તેમણે તેનું રાજ્ય પરત આપવાનો વાયદો કર્યો હતો. એ વાયદો પૂર્ણ
કરવા માટે તેમણે બાલી જેવા બળશાળીને પોતાની સાથે યુદ્ધ કરવાનું આહવાહન પણ
કર્યુ</div>
<div style="text-align: justify;">
શીખ : પરિસ્થિતિ કેટલી પણ ગંભીર કેમ ન હોઈ, સ્વયંનો વાયદો પૂર્ણ કરો. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
<b>(7) ફોકસ : </b>સીતા હરણ બાદ રામનું ફોક્સ રાવણને હરાવીને સીતાને મુક્ત
કરવાનું હતું એટલા માટે જ તેમણે રામસેતુ બાંધીને સમુદ્રને પાર કરવાનો પડકાર
પણ સ્વીકાર્યો. કેટલીયે મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ રામ સીતાને પરત
લાવ્યાં.</div>
<div style="text-align: justify;">
શીખ : ફોક્સ હમેશા ખુદના ટાર્ગેટ પર રાખો.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiTqQ4swmnE_R4Lr01BbOJ8FuxQK1nA6wOh5UmT1hor86roSPeSrfZHYDh30pp0eKsCIYpltEW0JxvIb2SdPmd3Uq4tLU4N0CGQIXc79Wx2iOjrqFafP0-krCtoVQwqZQ1H-IRQ-5YhQiPd/s1600/17796005_10211133302119825_6774830609499685305_n.jpg" imageanchor="1" style="clear: right; float: right; margin-bottom: 1em; margin-left: 1em;"><img border="0" data-original-height="640" data-original-width="960" height="266" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiTqQ4swmnE_R4Lr01BbOJ8FuxQK1nA6wOh5UmT1hor86roSPeSrfZHYDh30pp0eKsCIYpltEW0JxvIb2SdPmd3Uq4tLU4N0CGQIXc79Wx2iOjrqFafP0-krCtoVQwqZQ1H-IRQ-5YhQiPd/s400/17796005_10211133302119825_6774830609499685305_n.jpg" width="400" /></a><b>(8)
નિ:સ્વાર્થપણું :</b> નિ:સ્વાર્થ ભાવના રામનો સૌથી પ્રમુખ ગુણ છે. પોતાના સુખથી
ક્યાંય ઉપર પોતાની પ્રજાનું સુખ આ રાજવીએ રાખ્યું. રાજ્યનો ધોબી પોતાની
પત્ની સાથે ર્દુવ્યવહાર ન કરે તે માટે સ્વયંને સીતાથી અલગ કરવાનો કપરો
નિર્ણય લીધો.</div>
<div style="text-align: justify;">
શીખ : સ્વાર્થની નહીં પરંતુ જનહિતની ભાવનાથી રાજ કરો.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
<b>(9) લોકોને માન આપવું :</b> લોકોને સન્માન આપવાનું રામ સારી પેઠે જાણતા હતાં.
શબરી જેવી મહિલાના એઠા બોર ખાઈને તેમણે તેને જે સન્માન આપ્યું તેનું ઉદાહરણ
આજ સુધી આપવામાં આવે છે. પથ્થર બનેલી અહિલ્યાને પણ રામે તેનું સન્માન પરત
અપાવ્યું ત્યાં સુધી કે જ્યારે રાવણ અંતિમ શ્વાસ લઈ રહ્યો હતો ત્યારે તેની
વિદ્યાનું સન્માન કરીને લક્ષ્મણને તેમની પાસે જ્ઞાન મેળવવા મોકલ્યાં. </div>
<div style="text-align: justify;">
શીખ : લોકોને પ્રેમ કરો અને તેઓને સન્માન આપવાનું શીખો.<br />
<br />
<div style="text-align: justify;">
<b style="background-color: #f3fdfe; color: #757575; font-family: Roboto, sans-serif; font-size: 15px;"><span style="font-family: "arial" , "helvetica" , sans-serif;">Janaksinh Zala</span></b><br />
<b style="background-color: #f3fdfe; color: #757575; font-family: Roboto, sans-serif; font-size: 15px;"><span style="font-family: "arial" , "helvetica" , sans-serif;">Reporter-Phulchhab Daily</span></b><br />
<b style="background-color: #f3fdfe; color: #757575; font-family: Roboto, sans-serif; font-size: 15px;"><span style="font-family: "arial" , "helvetica" , sans-serif;">Rajkot-Gujarat</span></b><br />
<b style="background-color: #f3fdfe; color: #757575; font-family: Roboto, sans-serif; font-size: 15px;"><span style="font-family: "arial" , "helvetica" , sans-serif;">Mo.9428567833 </span></b></div>
</div>
</div>
</div>
Janakhttp://www.blogger.com/profile/06111052162931161072noreply@blogger.comtag:blogger.com,1999:blog-9044141999650980972.post-66948623050973997862017-06-06T12:25:00.002-07:002017-06-06T12:25:44.841-07:00અનાથ અમરેન્દ્રને મા સ્વરૂપે મળી ‘શિવગામી’!<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<br />
<div style="text-align: justify;">
-જનકસિંહ ઝાલા<br /> </div>
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg0V3KvXIfEqSOUV4Hl04u9mTIqsDZHuZe3AX3LqJt_9OH87SDj2wGiXvwSzfOvVbCgPKt2if26dN7trm5lJXfE9lO98Xnud0D9XdplhRgeBY5soR_xkgnHJHjTClJMqs8f596Ipe-XOWbN/s1600/18358596_10211479872383865_6106778235158833933_o.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="789" data-original-width="526" height="640" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg0V3KvXIfEqSOUV4Hl04u9mTIqsDZHuZe3AX3LqJt_9OH87SDj2wGiXvwSzfOvVbCgPKt2if26dN7trm5lJXfE9lO98Xnud0D9XdplhRgeBY5soR_xkgnHJHjTClJMqs8f596Ipe-XOWbN/s640/18358596_10211479872383865_6106778235158833933_o.jpg" width="426" /></a></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div class="separator" style="clear: both; text-align: center;">
</div>
માં બનવું અને માતૃત્વ મેળવવું એમ તો બન્નેમાં કોઈ અંતર નથી પરંતુ
શાબ્દિક અર્થોથી દૂર રહીને આ વિષય પર વિચાર કરવામાં આવે તો માતૃત્વ
પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય નસીબદાર સ્ત્રીઓને મળે છે. માતૃત્વ નારીના જીવનનું
સર્વોત્કૃષ્ટ ગૌરવ છે. કવયિત્રી મહાદેવી વર્માના શબ્દોમાં ‘આપણે ત્યાં બધી
માતાઓ છે પરંતુ માતૃત્વ મેળવી ચૂકેલી માતાને શોધવી કઠીન છે.’ રાજકોટના
કાઠિયાવાડ બાલાશ્રમના એ અનાથ બાળકનું નસીબ ખૂલ્યું છે કારણ કે તેને માતૃત્વ<span class="text_exposed_show">ની ચાસણીમાં પ્રેમના રસનો જબોડીને અપાર લાડ લડાવનારી માં મળી છે. </span><br />
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
મૂળ પૂણેમાં જન્મેલી અને સાઉથમાં કન્નડ, તમીલ અને તેલુગુ ફિલ્મમાં
અભિનયના ઓજસ પાથરનારી અભિનેત્રી ડિમ્પલ ચોપડેએ કાઠિયાવાડ બાલાશ્રમમાંથી
માત્ર પાંચ માસના બાળકને દત્તક લીધો છે. ડિમ્પલ ‘અવિવાહિત છે છતાં ‘સીંગલ
મધર’ બનાવાની ખુશી વ્યક્ત કરતાં તેણે જણાવ્યું હતું કે, જ્યારે બેબી
મારા ખોળામાં સોંપવામાં આવ્યું ત્યારે જે અપારઆનદનો અનૂભવ થયો તે આજદિન
સુધીમાં ક્યારેય પણ થયો નથી. ‘સીંગલ’ હોવા છતાં બાળકને દત્તક લેવાનો વિચાર
કેવી રીતે સ્ફૂર્યો ? આ પ્રશ્નના જવાબમાં તેણે જણાવ્યું હતું કે, દરેક
દંપત્તી કે જેઓનું એક બાયોલોજીકલ ચાઈલ્ડ હોઈ તો તેઓએ પણ એક બાળકને દત્તક
લેવું જોઈએ એ જ સાચી સમાજ સેવા છે. મને જ્યારે આ વિચાર આવ્યો ત્યારે મે
મારી માતા તેમજ નયના ચોપડે તેમજ અન્ય પરિવારનો સભ્યોને જણાવ્યું તો તેઓ પણ
ખૂશ થયાં.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
બાળકનું નામ શુ રાખશો ? આ પ્રશ્નના જવાબમાં તેમણે
હસતાં-હસતાં જણાવ્યું હતું કે, હજુ સુધી નક્કી કર્યુ નથી પરંતુ અત્યારે
બાહુબલી ફિલ્મ ખૂબ જ હીટ થઈ છે. મેં તેનું નામ ‘અમરેન્દ્ર’ રાખવાનું
વિચાર્યુ છે. અહીં ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારની સેન્ટ્રલ એડોપ્શન
રિર્સોસ ઓથોરિટી (કેન્દ્રિય દત્તક સંસ્થા)માં ડિમ્પલ ચોપડેએ બાળક દત્તક
લેવા માટે અરજી કરી હતી. એ સસ્થાએ કાઠિયાવાડ બાલાશ્રમના બાળકનો ફોટો અને
રાજકોટનું સરનામું આપ્યું હતું. ડિમ્પલબેનને બાળક પસંદ પડયું અને માત્ર એક
માસમાં તમામ કાયદાકિય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ એ બાળક સંસ્થા દ્વારા
તેમને સોંપવામાં આવ્યું છે.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
<b>બાલાશ્રમમાંથી અત્યાર સુધીમાં 1175 બાળકોને દત્તક લેવાયાં</b></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
</div>
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj_qJMsgqMO38UGfc5C2iN-9zWP898Mh9dxvuXv3-BS-l2tNQQ94ZzXg-U1Oeqi7ktAMEPWC39MHu9J_GIf6iJzHzy8m2h8KcM2yOaruqse6AHpHmLAGU-NWeMVWJO8f2krk_kYr27pzjNw/s1600/18403297_10211479860503568_2273338242558591895_n.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="640" data-original-width="960" height="426" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj_qJMsgqMO38UGfc5C2iN-9zWP898Mh9dxvuXv3-BS-l2tNQQ94ZzXg-U1Oeqi7ktAMEPWC39MHu9J_GIf6iJzHzy8m2h8KcM2yOaruqse6AHpHmLAGU-NWeMVWJO8f2krk_kYr27pzjNw/s640/18403297_10211479860503568_2273338242558591895_n.jpg" width="640" /></a></div>
કાઠિયાવાડ બાલાશ્રમના ખજાનચી ચંદ્રકાંતભાઈ પટેલના જણાવ્યાનુસાર રાજકોટમાં
છેલ્લા 110 વર્ષથી કાર્યરત કાઠિયાવાડ બાલાશ્રમમાં છેલ્લા 60 વર્ષનો રેકોર્ડ
તપાસીએ તો આજદિન સુધીમાં 1175 જેટલા બાળકો આ સંસ્થાએ લાયકાત ધરાવતા
પરિવારોને દત્તક આપ્યાં છે. જે પૈકી 350 બાળકો તો એનઆરઆઈ પરિવારોએ દત્તક
લીધા છે. આ બાળકો મોટા થઈને આજે સમાજમાં એક આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે.
ન્યુજર્સીના ડો.જતીન મહેતા તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. રાજકોટમાં પણ કેટલાક
વ્યવસાયીઓ તેમજ વકીલો છે જેઓ આજે ખૂબ જ નામના મેળવી ચૂક્યાં છે. હકીકતમાં
તેઓ પણ અમારા બાલાશ્રમના બાળકો હતાં. સંસ્થાએ 375 બાળકીઓના લગ્ન પણ
કરાવ્યાં છે.<br />
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
<i>સુપ્રિમ કોર્ટના નિર્દેશ અનુસંધાને બાળકની ઓળખ છૂપાવવા ચહેરો બ્લર કર્યો છે.</i></div>
<div style="text-align: justify;">
(ફૂલછાબમાં અગાઉ છપાયેલી સ્ટોરી) </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
<b style="background-color: #f3fdfe; color: #757575; font-family: Roboto, sans-serif; font-size: 15px;"><span style="font-family: "arial" , "helvetica" , sans-serif;">Janaksinh Zala</span></b><br />
<b style="background-color: #f3fdfe; color: #757575; font-family: Roboto, sans-serif; font-size: 15px;"><span style="font-family: "arial" , "helvetica" , sans-serif;">Reporter-Phulchhab Daily</span></b><br />
<b style="background-color: #f3fdfe; color: #757575; font-family: Roboto, sans-serif; font-size: 15px;"><span style="font-family: "arial" , "helvetica" , sans-serif;">Rajkot-Gujarat</span></b><br />
<b style="background-color: #f3fdfe; color: #757575; font-family: Roboto, sans-serif; font-size: 15px;"><span style="font-family: "arial" , "helvetica" , sans-serif;">Mo.9428567833 </span></b></div>
</div>
Janakhttp://www.blogger.com/profile/06111052162931161072noreply@blogger.comtag:blogger.com,1999:blog-9044141999650980972.post-46830370693849027702017-06-03T12:57:00.001-07:002017-06-03T13:09:35.482-07:00 સાળંગપુર હનુમાનજીને સુખડી જ કેમ ? <div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<span style="background-color: #f3fdfe; color: #757575; font-family: Roboto, sans-serif; font-size: 15px;">-જનકસિંહ ઝાલા</span><br />
<span style="background-color: #f3fdfe; color: #757575; font-family: Roboto, sans-serif; font-size: 15px;"><br /></span>
<div style="text-align: justify;">
સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીને સુખડીનો થાળ જ કેમ ધરવામાં આવે છે ? તે પ્રશ્ન ઘણા હરિભક્તોને થાય પરંતુ તેની પાછળ એક અનેરો મહિમા અને રોચક ઈતિહાસ સંકળાયેલો છે.</div>
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhuoDKOkjWP6MpgStppvKU6KOmWKTFgOHZS9fGobJ1w20trvIqvjESCmtuQcNYk1ojbwqnYKdKX_eDnlRczqEMyg6aDQreefoqzDXNI8ZhpwZEfNgYxdFKPTyVw58as01zXzP7PEbPKxuHg/s1600/images.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="469" data-original-width="314" height="320" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhuoDKOkjWP6MpgStppvKU6KOmWKTFgOHZS9fGobJ1w20trvIqvjESCmtuQcNYk1ojbwqnYKdKX_eDnlRczqEMyg6aDQreefoqzDXNI8ZhpwZEfNgYxdFKPTyVw58as01zXzP7PEbPKxuHg/s320/images.jpg" width="214" /></a></div>
<div style="text-align: justify;">
શાત્રી હરિપ્રકાશ અથાણાવાળા જણાવે છે કે, વર્ષો પૂર્વે સાળગપુરના પટેલો વ્યાપાર અર્થે ગાડાઓ લઈને ધોલેરા ગયાં હતાં. એ સમયે ધોલેરા બંદર હતું. ત્યાના સ્વામિનારાયણ મંદિરે તેઓએ રાતવાસો કર્યો, મંદિરના સંતોને સાળગપુર આવવાની ઈચ્છા દર્શાવી પરંતુ એક ઈર્ષાળુ વ્યક્તિની કાન ભંભેરણીને લીધે આ હરીભક્તો સંતોને લીધા વગર જ સાળગપુર ચાલ્યાં ગયાં. </div>
<br />
<div style="text-align: justify;">
શાત્રીજી ઉમેરે છે કે, સંતોના અનાદરનો ભોગ સાળગપુર બન્યું. ગામમાં દુષ્કાળ પડયો. એ સમયે સ.ગુ.શ્રી. ગોપાળાનંદ સ્વામી સત્સંગ-પ્રચારાર્થે વિચરણ કરતાં બોટાદ પધાર્યા હતાં. ગામના દરબાર વાઘા ખાચરે તેમને આ કફોડી પરિસ્થિતિથી વાકેફ કર્યા અને કહ્યું અમારે બે પ્રકારના કાળ પડયાં છે. 3 વર્ષથી વરસાદ નથી અને બીજુ ગામની આર્થિક સ્થિતિ નબળી હોવાને લીધે સંતો આવતાનથી. તેમની મનોવ્યથા જાણીને આર્ષદૃષ્ટા સ્વામીજીએ કહ્યું કે, તમારા આર્થિક દુ:ખ ટાળવા અમે દેવ આપીશું તેમણે તુરંત અનંત જીવોના દૂ:ખ દૂર કરે તેવા કષ્ટભંજન હનુમાનજીને પધારવાનો તત્કાળ શુભ સંકલ્પ કર્યો. સ્વામીજી ખુદ સારા એવા ચિત્રકાર હતાં. સમગ્ર જગતમાં એકમાત્ર હસતા અને દંતદર્શન કરાવતા કષ્ટભંજન હનુમાનજીની જે મૂર્તિ મંદિરમાં છે તેને પથ્થર પર ખુદ જ સ્વામીજીએ જ દોરી આપી હતી અને બાદમાં કાના કડિયાએ તેને મૂર્તિમાં કંડારી હતી. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
હરિભક્તોએ સ્વામીજીને કહ્યું કે, ધોલેરાના સંતોએ અમને ‘ભૂખડી’ના હોવાનું મેણુ માર્યું હતું હકીકતમાં તે વાત પેલા ઈર્ષાળુએ ઉપજાવી કાઢી હોવાનું અમને બાદમાં જાણવા મળ્યું તેમ છતાં સાળગપૂરમાં ભૂખમરો આવ્યો ત્યારે સ્વામીજીએ કહ્યું કે, સાળગપૂરમાં હવે ક્યારેય ‘ભૂખડી’(ભૂખમરો) નહીં પરંતું ‘સુખડી’ આવશે અને એ દિવસથી હનુમાનજીના થાળમાં સુખડીનો પ્રસાદ ધરાવવાનું શરૂ થઈ ગયું જે પરંપરા આજે પણ યથાવત છે. સ્વામીની વાત સાચી પડી છે એ ઘટના બાદ ક્યારેય પણ સાળગપુરમાં ભૂખમરો આવ્યો નથી. </div>
<div style="text-align: justify;">
...................</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
મિત્રો..આનંદની વાત એ છે કે, સાળગપુર મંદિરની વેબસાઈટમાં પણ આ આર્ટીકલ ઓનલાઈન પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આનાથી મોટુ કોમ્પ્લીમેન્ટ મારા માટે બીજુ શું હોઈ શકે.?<br />
<br />
<br />
<br style="background-color: #f3fdfe; color: #757575; font-family: Roboto, sans-serif; font-size: 15px;" />
<b style="background-color: #f3fdfe; color: #757575; font-family: Roboto, sans-serif; font-size: 15px;"><span style="font-family: "arial" , "helvetica" , sans-serif;">Janaksinh Zala</span></b><br />
<b style="background-color: #f3fdfe; color: #757575; font-family: Roboto, sans-serif; font-size: 15px;"><span style="font-family: "arial" , "helvetica" , sans-serif;">Reporter-Phulchhab Daily</span></b><br />
<b style="background-color: #f3fdfe; color: #757575; font-family: Roboto, sans-serif; font-size: 15px;"><span style="font-family: "arial" , "helvetica" , sans-serif;">Rajkot-Gujarat</span></b><br />
<b style="background-color: #f3fdfe; color: #757575; font-family: Roboto, sans-serif; font-size: 15px;"><span style="font-family: "arial" , "helvetica" , sans-serif;">Mo.9428567833 </span></b></div>
</div>
Janakhttp://www.blogger.com/profile/06111052162931161072noreply@blogger.comtag:blogger.com,1999:blog-9044141999650980972.post-24992052871559977672017-06-02T10:15:00.000-07:002017-06-02T10:15:20.585-07:00સાળંગપુર હનુમાનજીનો પ્રસાદ એટલે ‘પ્રભુ’ના સાક્ષાત દર્શન !<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<br />
-જનકસિંહ ઝાલા<br />
<br />
<b><i>‘પત્રં, પુષ્પં, ફલં, તોયં યો મેં ભક્ત્યા પ્રયચ્છતિ<br /> તદહં ભક્ત્યુપહૃતમશ્નામિ પ્રયતાત્મન: !’</i></b><br />
<br />
<div style="text-align: justify;">
</div>
<div class="separator" style="clear: both; text-align: center;">
</div>
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjQs_Xqgr15kY2-5jUJL4mtg1eRyCEKmdpO7xwqrExkXySIA1JjAKZuAjdIcTdqsAaxKEbFu6uFYw1u4UZGuSWnVRLq5FxsQWuVUHZemse2KGjXA58_QYPxs1GexIojPN1rJxZMRuUuCM7Y/s1600/18403126_10211515217547472_1039270069997665000_n.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="543" data-original-width="814" height="426" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjQs_Xqgr15kY2-5jUJL4mtg1eRyCEKmdpO7xwqrExkXySIA1JjAKZuAjdIcTdqsAaxKEbFu6uFYw1u4UZGuSWnVRLq5FxsQWuVUHZemse2KGjXA58_QYPxs1GexIojPN1rJxZMRuUuCM7Y/s640/18403126_10211515217547472_1039270069997665000_n.jpg" width="640" /></a></div>
<div style="text-align: justify;">
ભગવાન શ્રીકૃષ્ણ કહ્યું છે કે, જે કોઈ ભક્ત મારા માટે પ્રેમથી પત્ર,
પુષ્પ, ફળ, જળ આદિ અર્પણ કરશે, એ શુદ્ધ બુદ્ધિ, નિષ્કામ પ્રેમીનું
પ્રેમપૂર્વક અર્પણ કરેલુ તે પત્ર-પુષ્પાદિમાં સગુણ રૂપમાં હું પ્રકટ થઈને
પ્રીતિ સહિત આરોગીશ. કદાચ ઘણા ઓછા લોકો જાણતા હશે કે, પ્રસાદનો શું અર્થ
થાય છે. ‘પ્ર’ એટલે પ્રભૂના, ‘સા’ એટલે કે, સાક્ષાત અને ‘દ’ એટલે દર્શન.
સૌરાષ્ટ્રના દરેક ધર્મસ્થાનોમાં પ્રસાદનું અલગ-અલગ વૈવિધ્ય છે પરંતુ એ
પ્રસાદ ભગવાનથી લઈને તેના ભક્તો સુધી તે જે રૂપમાં તૈયાર થયો છે તે જ
રૂપમાં પહોંચે તો તેને ‘મહાકર્મ’ ગણવામાં આવે છે. આ ‘મહાકર્મ’માં સાળંગપુર
તિર્થધામ સાંગોપાંગ પાર ઉતર્યું છે. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
ગુજરાતના બરવાળા તાલુકાના
સાળંગપુર ગામમાં આવેલા વિશ્વવિખ્યાત કષ્ટભંજન હનુમાનજીના મંદિરના
પ્રાંગણમાં વર્ષોથી ચાલતા અન્નક્ષેત્રમાં રોજના 5000થી લઈને 7000 હરિભક્તો
આવે છે. એમાંય હનુમાનજીના દિવસો એટલે કે શનિવાર, મંગળવાર અને રવિવારે તો આ
આંકડો 18,000 સુધી પહોંચી જાય છે અને પૂનમમાં દિવસે તો 22,000થી પણ વધુ
હરિભક્તો પ્રસાદનો લાભ લે છે પરંતુ આજદિન સુધી ક્યારેય પણ અહી પીરસાતા
મહાપ્રસાદની ગુણવત્તાને લઈને કોઈ ફરિયાદ ઉઠવા પામી નથી. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
સાળંગપુર
મંદિરના કોઠારી વિવેકસ્વામીના જણાવ્યાનુસાર પ્રસાદ માટે આર.ઓ. (રિવર્સ
ઓસ્મોસીસ) કરેલુ પાણી વાપરવામાં આવે છે. રસોઈ બનાવવા માટે 17 રસોઈયાઓ છે
તેમનો એક ખાસ ડ્રેસ કોર્ડ છે અને હાથમાં મોજા તેમજ માથામાં ‘કેપ’ પહેરીને જ
તેઓ પ્રસાદ બનાવે છે. હરિભક્તોને જમીન પર નહીં પરંતુ ડાઈનીંગ ટેબલ પર
બેસાડવામાં આવે છે જેનાથી સ્વચ્છતાનું ધોરણ ખાસ જળવાઈ રહે છે તેમજ વયોવૃદ્ધ
કે જેઓને જમીન પર બેસવામાં કષ્ટ પડે છે તેઓ સરળતાથી પ્રસાદ આરોગી શકે છે.
ભોજન બાદ તમામની થાળીઓ અમારો સ્ટાફ ખુદ સ્વચ્છ પાણી, લીક્વિડ તથા પાઉડરથી
ધોવે છે. ક્યારેય પણ કોઈ ફરિયાદ સામે આવી નથી.</div>
<br />
<br />
<div style="text-align: justify;">
</div>
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg95_5Piaw1HK1WgxSfTCo08dSb_RnbET0ZdrT0JYf2aoJta_zl9lbiVDWNZxQF8-520knVnY6ot4OCnxIYc5fWxAYyHEkTYAmU2JXKvnyliP8dUECcs11ikCiclivx3m2mfRpvoX3VAYJR/s1600/18033894_10211515219107511_1991933855780443554_n.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="543" data-original-width="814" height="426" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg95_5Piaw1HK1WgxSfTCo08dSb_RnbET0ZdrT0JYf2aoJta_zl9lbiVDWNZxQF8-520knVnY6ot4OCnxIYc5fWxAYyHEkTYAmU2JXKvnyliP8dUECcs11ikCiclivx3m2mfRpvoX3VAYJR/s640/18033894_10211515219107511_1991933855780443554_n.jpg" width="640" /></a></div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
<b>સાળંગપુરમાં શું છે ‘મહાકિચન’ની વિશેષતા ?</b></div>
<div style="text-align: justify;">
સાળંગપુરની ભોજનશાળામાં ખાસ ઓઈલ બોઈલર રાખવામાં આવ્યું છે જ્યારે તે 300
ડિગ્રી તાપમાને હિટ કરે છે ત્યારે એક પાઈપમાંથી બીજા પાઈપમાં તેલ પરિભ્રમણ
કરે છે અને તેનાથી રસોઈ પાકે છે. આ એક એવું ઐતિહાસિક મશીન છે જેની ગરમીથી
રોટલી પણ બનાવી શકાય છે. રોજ અંદાજે 25,000થી વધુ રોટલી બને છે તેમાંય
પૂનમના દિવસે 800 કિલો લોટની રોટલીઓ વણવામાં આવે છે. આ ઉપરાંત શુદ્ધ
બ્રાન્ડના ચોખ્ખા ઘીમાંથી હનુમાનજીની સુખડી તેમજ મોહનથાળ તૈયાર થાય છે.
ઘીના એક ડબાની કિમત રૂા.7300 આસપાસ છે આવા રોજના 18 ડબા ઉપયોગમાં લેવાય છે
અને તેની મદદથી 100 કિલો લોટમાંથી બનાવેલી સુખડીના 3 મોટા થાળ તૈયાર થાય
છે. </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhhczoWEsnrR9LYWXrqXYhe8ZhfXWGncHdHopoKePfLusrspjs6Aro372__XhmtVKflrYVncNPbjdoO11vhFPQrwNaD9SK1-R-9Ms2zBZC0G3nIelnDtkWVloXHMcyOQH2gf0tuWiJEUZ4Q/s1600/18010759_10211515218107486_6529223198524057336_n.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="543" data-original-width="811" height="428" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhhczoWEsnrR9LYWXrqXYhe8ZhfXWGncHdHopoKePfLusrspjs6Aro372__XhmtVKflrYVncNPbjdoO11vhFPQrwNaD9SK1-R-9Ms2zBZC0G3nIelnDtkWVloXHMcyOQH2gf0tuWiJEUZ4Q/s640/18010759_10211515218107486_6529223198524057336_n.jpg" width="640" /></a></div>
<div style="text-align: justify;">
<br />
<b><span style="font-family: "arial" , "helvetica" , sans-serif;">Janaksinh Zala</span></b><br />
<b><span style="font-family: "arial" , "helvetica" , sans-serif;">Reporter-Phulchhab Daily</span></b><br />
<b><span style="font-family: "arial" , "helvetica" , sans-serif;">Rajkot-Gujarat</span></b><br />
<b><span style="font-family: "arial" , "helvetica" , sans-serif;">Mo.9428567833 </span></b></div>
</div>
Janakhttp://www.blogger.com/profile/06111052162931161072noreply@blogger.comtag:blogger.com,1999:blog-9044141999650980972.post-53194682647499278572017-06-01T06:53:00.001-07:002017-06-02T10:14:56.888-07:00સિનેમાના પડદા પર ‘હનીટ્રેપ’ !<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<br />
-જનકસિંહ ઝાલા<br />
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhm36dsNCAIWtn1OwkFrjjVUDB0lS4snEe0YbHF5ONaAiDQvSqOvRvpV2GRXn9zGph__eIEX9G2UI37eA6UHAvMv3R_PlcYHtK1uEIdXWjgijdJuCnHcggs8GOW8CuisQgc49WKXFqJ57a_/s1600/kareena-oct17-11.jpg" imageanchor="1" style="clear: right; float: right; margin-bottom: 1em; margin-left: 1em;"><img border="0" data-original-height="627" data-original-width="630" height="198" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhm36dsNCAIWtn1OwkFrjjVUDB0lS4snEe0YbHF5ONaAiDQvSqOvRvpV2GRXn9zGph__eIEX9G2UI37eA6UHAvMv3R_PlcYHtK1uEIdXWjgijdJuCnHcggs8GOW8CuisQgc49WKXFqJ57a_/s200/kareena-oct17-11.jpg" width="200" /></a></div>
<div style="text-align: justify;">
ગુજરાતના વલસાડ-ડાંગના ભાજપના સાંસદ કે.સી.પટેલે તાજેતરમાં જ પોતાને એક મહિલા દ્વારા ચલાવવામાં આવતી ગેંગે ‘હનીટ્રેપ’માં ફસાવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ કેસ હાલ કોર્ટમાં ચાલે છે પરંતુ તેનાથી સમગ્ર દેશમાં ચકચાર મચી જવા પામી છે . વાસ્તવિક જીવનમાં છાશવારે સામે આવતા ‘હનીટ્રેપ’ના કિસ્સાઓ અને એ પાછળનું સત્ય જાણવા માટેની લોકોની રૂચિને ધ્યાનમાં લઈને હોલીવુડ અને બોલીવુડના નિર્માતા-નિર્દેશકોએ પણ આ વિષયને કેન્દ્રસ્થાને રાખી અનેક ફિલ્મોનું નિર્માણ કર્યુ છે.</div>
<div style="text-align: justify;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgtHIb1yKUyuJyBnYfnVIm0nVv_d3rfs4ANpi8_cYZ7BDfebfK_uth74JnUvwvSQRNKJh4qSq0F9Vj9VhM32S_rCdUOQBp7gmhvGOzP4hSDT9kLQz4xVLghmvp8EQ9c8Ylx4PsoUHJEZ_5C/s1600/18581951_10211588072768807_7082699298017032071_n.jpg" imageanchor="1" style="clear: left; float: left; margin-bottom: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="337" data-original-width="600" height="179" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgtHIb1yKUyuJyBnYfnVIm0nVv_d3rfs4ANpi8_cYZ7BDfebfK_uth74JnUvwvSQRNKJh4qSq0F9Vj9VhM32S_rCdUOQBp7gmhvGOzP4hSDT9kLQz4xVLghmvp8EQ9c8Ylx4PsoUHJEZ_5C/s320/18581951_10211588072768807_7082699298017032071_n.jpg" width="320" /></a>આજદિન સુધીમાં સિનેમાના પડદે એવી કેટલીયે ફિલ્મો સામે આવી છે જેમાં કોઈ મિશન પર નિકળેલી મહિલા દોસ્તીની આડમાં ન તો સામેની વ્યક્તિ પાસેથી માહિતીઓ એકત્ર કરે છે પરંતુ ઘણીવાર કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ તેના હાથમાં આવી જાય છે. કેટલાક કેસોમાં આ મહિલાઓ સામેની વ્યક્તિ સાથે માત્ર મીઠી-મીઠી વાતો જ નથી કરતી પરંતુ પ્રેમનું નાટક કરી પોતાના શિકારને પણ બ્લેકમેઈલ કરે છે. જો શિકાર બનનારી વ્યકિતનો કોઈ આપત્તિજનક ફોટોગ્રાફ અથવા ખાસ વાતચીત કે કોઈ ડિટેઈલ હાથમાં લાગી જાય તો તેને જગજાહેર કરવાની ધમકી પણ આપે છે. બદનામ થવાના ડરે તે વ્યક્તિની મુખેથી અતિ ગુપ્ત માહિતીઓ પણ સામે આવી જાય છે. કોઈક-કોઈક કિસ્સામાં જૂનો બદલો વાળવાનો પણ મુખ્ય ઉદ્દેશ પણ એ મહિલાઓનો હોઈ છે.<br />
<br />
‘જેમ્સ બોન્ડ સિરીઝ’ની અનેક ફિલ્મોમાં તમને આ પ્રકારની મહિલાઓ અચૂક જોવા મળશે. વર્ષ 2002માં આવેલી બ્રિટીશ થિલર ફિલ્મ ‘હનીટ્રેપ’ને કેવી રીતે ભૂલી શકાય. ફિલ્મમાં કેથરીન (એમિલી લોઈડ) નામની મહિલાને પોતાના પતિ જોનથન (એન્થની ગ્રીન) પર શંકા ઉત્પન્ન થતાં તે એક સુંદર યુવતી થકી જોનથન પર ‘હનીટ્રેપ’ ગોઠવે છે. બોલીવુડમાં તો આવી ફિલ્મોનો ભંડાર છે. અમિતાભ વચ્ચન અભિનિત ડોન હોઈ કે, તેનું ન્યુ વર્ઝન કે જેમાં શાહરૂખ ડોનની ભૂમિકા ભજવે છે, યહ મેરા દિલ પ્યાર કા દિવાના ગીત પર થરકતી હેલન અને કરીનાકપૂર હનીટ્રેપનો જ એક હિસ્સો છે. <br />
<br />
ફિલ્મ ‘ખાખી’ને કેવી રીતે ભૂલી શકાય, કરપ્ટ અને રોંકીંગ દેખાતા સિનિયર ઈસ્પેક્ટર શેખર વર્મા (અક્ષયકુમાર) સામે વિલન યશવત આંગરે (અજય દેવગણ) મહાલક્ષ્મી (એશ્વર્યા રાય)ને મૂકીને જે હનીટ્રેપ ગોઠવે છે તે હજુ પણ દર્શકોને યાદ છે. પ્લેયર્સ ફિલ્મમાં સોનમ કપૂર કે જેણે ફિલ્મમાં નૈનાની ભૂમિકા ભજવી છે તે સ્પાઈડર(નીલ નીતિન મૂકેશ)ના બંગલામાં પ્રવેશીને તેને ‘હનીટ્રેપ’માં ફસાવવાનો પ્રયાસ કરે છે. સલમાન ખાનની એક થા ટાઈગર, સૈફ અલી ખાનની કુરબાન તેમજ મધુર ભંડારકર નિર્દેશિત અને બિપાશા બાસુ, કેકે મેનન અભિનીત ફિલ્મ ‘કોર્પોરેટ’માં પણ હનીટ્રેપના વિષયને આવરી લેવામાં આવ્યો છે.<br />
<br />
<b><span style="font-family: "arial" , "helvetica" , sans-serif;">Janaksinh Zala</span></b><br />
<b><span style="font-family: "arial" , "helvetica" , sans-serif;">Reporter-Phulchhab Daily</span></b><br />
<b><span style="font-family: "arial" , "helvetica" , sans-serif;">Rajkot-Gujarat</span></b><br />
<b><span style="font-family: "arial" , "helvetica" , sans-serif;">Mo.9428567833 </span></b></div>
</div>
Janakhttp://www.blogger.com/profile/06111052162931161072noreply@blogger.comtag:blogger.com,1999:blog-9044141999650980972.post-54069474784659337582017-05-30T10:05:00.001-07:002017-06-01T06:54:39.490-07:00‘હિન્દી મીડિયમ’...સ્કૂલ ચલે હમ !<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<div class="_5pbx userContent" data-ft="{"tn":"K"}" id="js_d">
<br />
-જનકસિંહ ઝાલા<br />
<br />
<i>તદદ્દુમ..તદદ્દુમ...ત..તદ્દદુમ..તા...<br /> તદદ્દુમ..તદદ્દુમ...ત..તદ્દદુમ..તા...<br /> સૂરજ જેસે ચમકેંગે, દેખે હે સાડ્ડી અખીંયાને એક સપને અમરાને...</i><br />
<br />
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgW7lhGx-c3CtMUW06p8UaUqUBfvE4HxMMyqzx5dKdpxyA-1M2droI4_epb78r3L9qO6lISMPqlClfCkouW4dn0CgzfsioLjEAKpUXHtNQ2X5NqTIqDcJNZ4kLGTKer8pKjcVS_-mkA_Lds/s1600/18622132_10211606589951725_3755885086084093065_n.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="350" data-original-width="525" height="213" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgW7lhGx-c3CtMUW06p8UaUqUBfvE4HxMMyqzx5dKdpxyA-1M2droI4_epb78r3L9qO6lISMPqlClfCkouW4dn0CgzfsioLjEAKpUXHtNQ2X5NqTIqDcJNZ4kLGTKer8pKjcVS_-mkA_Lds/s320/18622132_10211606589951725_3755885086084093065_n.jpg" width="320" /></a></div>
<div style="text-align: justify;">
‘ગરીબી-મીડલ’ ક્લાસને જોડતી પાતળી રેખાની અધ્ધવચ્ચે લટકીને ઉભેલા અને
‘એઈટીઝ’ આસપાસ જન્મેલા મારા સહિતના અનેક યુવાનોએ નાનપણમાં અંગ્રેજી
મીડિયમની સ્કૂલોમાં ભણવાના સ્વપ્નાઓ અચૂક સેવ્યાં હશે. સાચુ ને ? અને કેટલા
લોકોના એ સ્વપ્નાઓ સાકાર થયાં ? સાલુ લાઈફટાઈમનો વસવસો રહી ગયો કે,
અંગ્રેજી મીડિયમમાં ભણી ન શક્યાં, હોશિયાર તો હતાં પણ પૈસા નતાં. એ સમયે
‘આરટીઈ’ આવ્યું હોત તો માં કસમ કોઈની પણ સરકાર કેમ ન હોત ? એ સરકારના
ઉજ્જવળ ભવિષ્ય માટે ચોટીલા ચાલીને જવાની માનતા અચૂક રાખી હોત.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
અંગ્રેજી મીડિયમના એ ક્લાસની પ્રથમ બેચમાં બેસવા માટે રહી ગયેલો વસવસો હજુ
પણ આ લેખકડાના દિલને કોરી ખાય છે પણ જ્યારથી ‘હિન્દી મીડિયમ સ્કૂલ’ જોઈ
ત્યારથી એક ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે કે, પરિસ્થિતિ જૈસૈ થે જ છે...ફર્ક
એટલો છે કે, અમારી વખતે જેઓ માટે ભણતર મિશન હતું તે આજની સ્કૂલો માટે કમિશન
બની ગયું છે. કોઈ મિશનરી સ્કૂલ (રાજકોટમાં સ્વૈચ્છાએ ફી વધારવા માટે
કુખ્યાત છે તેવી અનેક)હોઈ કે, ટોપ કેટેગરીમાં સમાવિષ્ટ પ્રાઈવેટ સ્કૂલોમાં
આપ આપના સંતાનો માટે એડમિશનના ફોર્મ મેળવવા કદાચ આખી રાત કડકડતી ઠંડીમાં
ઉભા રહ્યાં હશો અને સવારે જ્યારે આપનો ક્રમ આવે છે ત્યારે પેલો દરવાજે
ઉભેલો ચોકીદાર જ કહી દે છે કે, ફોર્મ ખલાસ થઈ ચૂક્યાં છે.</div>
<div style="text-align: justify;">
આપે
દિવસ-રાત એક કરીને આપના નાનકડા બાળકને ‘ટ્વીન્કલ..ટ્વીન્કલ લીટલ સ્ટાર્સ’
કેમ ન શીખવ્યું હોઈ પણ પેલા સ્કૂલના સંચાલકોના પાશવી હૃદયને કોઈ ફર્ક નહી
પડે. એમાય જો આપ જનરલ કેટેગરીમાં આવો છો તો પછી એડમિશન ન મળવા માટે નસીબને જ
દોષ દેવાનો વારો આવે. ખબર નહીં કેમ ? ઈગ્લીશ મીડિયમની શાળાઓ પ્રત્યેનો મોહ
આપણાથી છૂટતો નથી. એવું લાગે છે ‘ઈંગ્લીશ ઈઝ ઈન્ડિયા..એન્ડ ઈડિયા ઈઝ
ઈગ્લીશ.’ અને અંગ્રેજી ન આવડે એટલે એ વ્યક્તિ તો જાણે ‘હોપલેસ’ જ થઈ ગયો </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
નિર્દેશક સાકેત ચોધરીની ફિલ્મ ‘હિન્દી મીડિયમ’ આ વિષય પર જ કેન્દ્રિત છે.
એક બિઝનેસમેન ફાધર રાજ બત્રા(ઈરફાન ખાન) અને તેની હાઉસવાઈફ મીતા બત્રા (સબા
કમર) પોતાની દિકરીને અન્ય માતા-પિતાની જેમ તમામ ખૂબીઓ આપવા ઈચ્છે છે.
પૈસેટકે સુખી અને મોટુ ઘર ધરાવતા આ પરિવારને અંગ્રેજી સાથે થોડી ઓછી
લેણી-દેણી છે. કોઈ પણ ભોગે પોતાની પુત્રીનું એડમીશન પ્રાઈવેટ ઈગ્લીશ
મીડિયમની સ્કૂલમાં થઈ જાય તે માટે તે ચોરી-ચીંટીગ ત્યાં સુધી કે, ગરીબ બનવા
પણ તૈયાર થઈ જાય છે 'દિલ્લી ગ્રામર સ્કૂલમા’ ગરીબ કોટામાં તેમની પુત્રીને
એડમિશન પણ મળે છે પણ અંતે બન્નેને અફસોસ એ વાતનો થાય છે કે, આ તો કોઈ ગરીબ
બાળકનું હક મારીને લીધેલુ એડમિશન છે.</div>
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhfN9Wf8fI9ea3LoElU86ZPVSy4QbMJIDk3_1N1XSIxDTZb9Uae_4qqo_Ei_-5rp6vJRHQVi_eOCKoFsyzs_DAk9qYw9oc9oYmupDbm2rmcmtOSs0dDiPe10E-q-osSAqKeFoLbJFgnEL5e/s1600/18582130_10211606622632542_2784622990730735386_n.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="368" data-original-width="620" height="189" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhfN9Wf8fI9ea3LoElU86ZPVSy4QbMJIDk3_1N1XSIxDTZb9Uae_4qqo_Ei_-5rp6vJRHQVi_eOCKoFsyzs_DAk9qYw9oc9oYmupDbm2rmcmtOSs0dDiPe10E-q-osSAqKeFoLbJFgnEL5e/s320/18582130_10211606622632542_2784622990730735386_n.jpg" width="320" /></a></div>
<br />
<div style="text-align: justify;">
‘રાઈટ ટુ એજ્યુએક્શન એક્ટ’ ને
લઈને આ દેશની શિક્ષણપ્રણાલીમાં જેટલા પણ ‘લૂપ્હોલ’ છે તેને ફિલ્મના
માધ્યમથી સામે લાવવામાં આવ્યાં છે ત્યાં સુધી કે, કેટલાક ગર્ભશ્રીમતો કેવી
રીતે ગરીબ કોટામાં પોતાના બાળકોને એડમિશન અપાવી શકે છે અને એ દુષ્કૃત્ય
માટે લેભાગૂ એજન્ટો કેવી રીતે તેમને મદદ કરે છે ? તેની મોડેસ ઓપરેન્ડી પણ
અહી રજૂ કરવામાં આવી છે. જો કે, અહીં એ વાત ઉપર અચૂક ભાર મૂકવામાં આવ્યો છે
કે, ઈગ્લીશ સ્પીકીંગ ચીબાવલાઓ કરતા ગરીબોના હૃદય વિશાળ હોઈ છે. ફેસબુકમાં
વિદેશ ગયા હોઈ તેવો ‘ડમી ફોટો’ અપલોડ કેમ કરાય તે પણ આ ફિલ્મ શીખવે છે.</div>
<div style="text-align: justify;">
'હિન્દી મીડિયમ’ રમૂજીની સાથોસાથ ઉપદેશાત્મક પણ છે. સાથોસાથ ‘પોલીટીક્સ’
અને ‘મનીપાવર્સ’ની મેલી નદીમાં વહેતી શિક્ષણપ્રણાલી પર ટકોર પણ કરે છે.
શરૂઆત બેસ્ટ છે અને મધ્યાતંર સુધી તે સમાતંર ગતિએ ચાલે છે પરંતુ અંતમાં એક
અતાર્કિક ઉપદેશ સાથે તેનું સમાપન થોડુ નિરાશ કરે છે. કેમેરાવર્કની ક્ષતિઓ,
થોડીઘણી એડીટીંગની મર્યાદાઓ અને એક ડહાપણ અને ઉપદેશાત્મક સ્ટોરીલાઈન વચ્ચે
પણ ખાન અને કમર વચ્ચેની કેમિસ્ટ્રી ખૂબ જ જામે છે. ફિલ્મમાં દિપક
ડોબ્રયાલને કેવી રીતે ભૂલી શકાય ? અભિનયમાં તેઓએ મેદાન માર્યુ છે. ‘તનું
વેડ્સ મનુ’થી તદ્દન વિપરીત તેમણે અહીં ઈરફાન ખાનના દોસ્તનો રોલ કર્યો છે.
અલબત ફિલ્મમાં મિસ.લોધા (અમૃતા સિંઘ)ના પાત્રને વધુ ન્યાય આપવાની જરૂરિયાત
હતી.</div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
મૂળ તો બંગાળી ફિલ્મ 'રામધનુ' પરથી પ્રેરિત આ ફિલ્મમાં સરકારી
સ્કૂલો પ્રત્યે કંઈક વધુ પડતુ ‘સેન્ટીમેન્ટલ ફેક્ટર’ અને અંગ્રેજી મીડિયમની
તમામ શાળાઓ લોહી પીતા કોઈ ડ્રેકૂલા જેવી જ હોઈ તે રીતે રજૂ કરવામાં પણ
અતિરેક દેખાય છે પરંતુ આ તમામ મર્યાદાઓને હાશિયે મૂકી દઈને ફિલ્મ નીહાળશો
તો આપની સમક્ષ અચૂક મનોરંજનનો રસથાળ પીરસાયો હોઈ તેવો અનૂભવ થશે.</div>
<div style="text-align: justify;">
લાસ્ટ બટ ઈન લિસ્ટ </div>
<div style="text-align: justify;">
<br /></div>
<div style="text-align: justify;">
આતીફ અસલમે ગાયેલૂ ‘હૂર’ હોઈ કે, તનીષ્કા સંઘવીનું ‘એક જીંદરી’ કાનને
સાંભળવા ગમે છે. જો કે, સુખબીરના ઓ હો..હો..હો..ઈશ્ક તેરા તડપાવે સામે તમામ
ફિક્કા પડે છે. આપે આ ફિલ્મ જોઈ કે કેમ ? ના જોઈ હોઈ તો રાહ શેની જુઓ છો ?
કમઓન ગેટ્સ અપ..હવે તો મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારે તેને ટેક્સ ફ્રી
જાહેર કરી છે..ભાઈલોગ વધુ નાણા ખર્ચવા નહી પડે...<br />
<br />
<b><span style="font-family: "arial" , "helvetica" , sans-serif;">Janaksinh Zala</span></b><br />
<b><span style="font-family: "arial" , "helvetica" , sans-serif;">Reporter-Phulchhab Daily</span></b><br />
<b><span style="font-family: "arial" , "helvetica" , sans-serif;">Rajkot-Gujarat</span></b><br />
<b><span style="font-family: "arial" , "helvetica" , sans-serif;">Mo.9428567833 </span></b></div>
</div>
</div>
Janakhttp://www.blogger.com/profile/06111052162931161072noreply@blogger.comtag:blogger.com,1999:blog-9044141999650980972.post-28645156889183591042017-05-30T09:51:00.001-07:002017-05-30T10:17:47.790-07:00‘જાનેમન’ તૂં કેમ બની કટપ્પા..?.:) :) :) :)<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
<span class="_47e3 _5mfr" title="smile emoticon"><span class="_7oe"></span></span><br />
-જનકસિંહ ઝાલા<br />
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhTxsPaFE8-gxI4pfVF3iEJJtIxzv7DpArRvz-cG-5x4KadvrZ7CtLPKKqD9AnSoBpZFRz690nm35TTUoLu65ehcuJtsyvxKsIec601RrbbpJiVoIeSpXTKP_HBG_-j4O2_5yY45iODGzj2/s1600/18700062_10211624603242046_6307852189537079351_n.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="296" data-original-width="512" height="185" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhTxsPaFE8-gxI4pfVF3iEJJtIxzv7DpArRvz-cG-5x4KadvrZ7CtLPKKqD9AnSoBpZFRz690nm35TTUoLu65ehcuJtsyvxKsIec601RrbbpJiVoIeSpXTKP_HBG_-j4O2_5yY45iODGzj2/s320/18700062_10211624603242046_6307852189537079351_n.jpg" width="320" /></a></div>
<br />
<div style="text-align: justify;">
પ્રેમ શું છે ? ક્યાંક એવું નથી કે, આપણી કંઈક અલગ જ અનુભૂતી કરીએ છીએ અને
તેને પ્રેમ સમજીએ છીએ. પ્રેમ એટલે બસ શુદ્ધ પ્રેમ, સાચો પ્રેમ..એવો પ્રેમ
જે ક્યારેય વધતો પણ નથી અને ઘટતો પણ નથી, હમેશા એક સરખો જ રહે છે. કોઈકે
સાચુ જ કહ્યું છે કે, પ્રેમ તો આપવાની વસ્તુ છે ન કે લેવાની, ‘વી ઓલવેઝ
ટ્રાઈ ટુ ફાઈન્ડ એ લવ ફ્રોમ અધર પીપલ્સ’ જીવનભર આપણે સામેની વ્યક્તિઓ
પાસેથી પ્રેમ શોધીએ છીએ..પ્રેમ માંગીએ છીએ અને જેઓ પ્રેમ આપણે ઈચ્છીએ છીએ
તેવ<span class="text_exposed_show">ો ન મળે ત્યારે નિરાશ થઈ જઈ છીએ..</span></div>
<br />
<div class="text_exposed_show">
<div style="text-align: justify;">
માન્યુ કે, કરૂણા કે વેદનાની કોઈ લિપી કે ભાષા હોતી નથી પણ એની અભિવ્યક્તિ
માટે સર્જક પોતાની અનૂભૂતિને કોઈને કોઈ લિપી કે ભાષામાં આકાર આપે છે. એટલા
માટે પ્રેમમાં નિષ્ફળ થયેલા પ્રેમીઓ શાયર અને કવિઓ બની ગયાંના આપણે ત્યાં
દાખલા છે. એક સમયે જેને ‘ડાર્લીગ’, ‘એજન્લ’, ‘બેબી’, ‘સ્વીટહાર્ટ’, ‘જાનૂ’ ન
જાણે કેટલાયે લાડકવાયા નામથી આપણે બોલાવતા હતાં એ જ પ્રેમિકાને હવે
બેવફાનો ખિતાબ મળી જાય છે. બેવફાઈનો એ જોરદાર ફૂંકાયેલો પવન જ્યારે સાચા
પ્રેમરૂપી મૂળીયાઓને જડથી ઉખાડી નાખે ત્યારે કોઈપણ પ્રેમીને તેની પ્રેમિકા
માત્ર અભાગણ જ નહીં પણ ઝેરી નાગણ પણ લાગે છે. એમાયે આપનું દિલ જો ‘બાહુબલી’
હોઈ અને પાછળથી ‘કટપ્પા’ની જેમ ઘા(છોડીને જતી રહે) કરી જાય તો એ પ્રેમિકા
પ્રત્યેની ધૃણા એક પ્રજ્જવળ જ્વાળા બનીને આપના રોમેરોમમાં ભભૂકી ઉઠે છે.</div>
<br />
<div class="separator" style="clear: both; text-align: center;">
<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj0-mMxEREfUGUfhrAYil-nxNOc1QmP0S1H8dWNhHTJfaVNsrcgkGiXGhl51ITKVlSRTms3vX9osGKRh9Vw6RjL5TZk5eWBH-CHM15bXjNw7i4DKLYMxpm6deiBU_kHScPR_g24eI76WoJK/s1600/18664408_10211624605842111_6615037513672806024_n.jpg" imageanchor="1" style="margin-left: 1em; margin-right: 1em;"><img border="0" data-original-height="540" data-original-width="943" height="183" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj0-mMxEREfUGUfhrAYil-nxNOc1QmP0S1H8dWNhHTJfaVNsrcgkGiXGhl51ITKVlSRTms3vX9osGKRh9Vw6RjL5TZk5eWBH-CHM15bXjNw7i4DKLYMxpm6deiBU_kHScPR_g24eI76WoJK/s320/18664408_10211624605842111_6615037513672806024_n.jpg" width="320" /></a></div>
<br />
<br />
<div style="text-align: justify;">
‘કટપ્પા’.. હા..આપે સાચુ જ સાંભળ્યુ. બેવફા સુધી તો ઠીક હતું પણ હવે તો
આવી પ્રેમિકાઓને ‘કટપ્પા’ પણ કહેવાતી હોવાનું જાણીને ખૂબ જ આશ્ચર્ય થયું
છે. જીંદગીની કડવાશને પણ હળવાશથી રજૂ કરતો એક ગુજરાતી આલ્બમ ‘બાહુબલી’
આજકાલ યુ-ટયૂબ પર ભારે ધૂમ મચાવી રહ્યો છે. પ્રોડયુસર-ડાયરેક્યર કશ્યપ
પટેલના ગુજરાતી આલ્બમ બાહુબલીને માત્ર બે દિવસમાં અને આ લખાય છે ત્યાં
સુધીમાં 21577 લોકોએ જોયો છે. હરેશ તુરી એક સારા મેકઅપ મેન હોવાનો તો
ખ્યાલ હતો પણ ઉમદા ગાયક અને લેખક હોવાનો પણ પ્રથમવાર પરિચય થયો છે.
પ્રેમમાં વિશ્વાસઘાતનો ઘૂટ પીનારા એક નિરાશ પ્રેમીના રૂપમાં તેમને જોઈને
ખરેખર સહાનુભૂતિ થાય છે. </div>
<br />
<div style="text-align: justify;">
શકુંતલાના ગેટ્સઅપમા દેખાતી ‘કટપ્પા’
પ્રેમિકા રૂબીના બેલીમને જોઈને હૈયામાં ઝણઝણાટ થાય છે. અન્ય કલાકારો અજય
ગોહેલ, દિપક ચાવડા ઠીકઠાક છે. રાજુ સુદ્રા-રાજેષ મહેતાનું મ્યુઝિક કાનને
સાંભળવું ગમે છે. વીએફએક અને એડીટીંગને અમૂક મયાર્દાઓને સાઈડલાઈન કરીએ તો
ખરેખર એક સારુ સર્જન થયું છે. આલ્બમમાં વિરહ દેખાડવામાં આવ્યો છે પણ ગીતના
કેટલાક શબ્દો એ વિરહમાં પણ હાસ્યરસ ઉત્પન્ન કરે છે. ખેર સાચા સબંધોના
ગણિતમાં ક્યારેક ખોટા પડતા સરવાળાઓને રજૂ કરવાની રાજકોટના સ્થાનિક
કલાકારોની મહેનતને સો..સો..સલામ... </div>
<div style="text-align: justify;">
ગીતના શબ્દોને લખતા ખુદને નથી રોકી શક્યો... </div>
<div style="text-align: justify;">
<br /></div>
દિલ મારુ બાહુબલી..પાછળથી તે ઘા કરી..<br />
કેમ બની કટપ્પા...?<br />
પ્રેમમાં તારા પાગલ..બની..જગથી બાંધ્યા વેર.<br />
મધ દરિયે છોડી કરી..ભલાવદેવ પર મેર..<br />
ડૂબાડી..નાવડી..ભાગી રે અભાગણ....<br />
જીવશુ હારે..મરશુ હારે..દીધા એવા કોલ.<br />
ચોરીના ચાર ફેરા ફરી વગાડી લગનઢોલ..<br />
અડધે..આંટે ડંખ માર્યો ઝેરી નાગણ..<br />
કરજોના હવે..પ્રેમ કોઈ..ખાજો ના ખોટા સોગંધ<br />
ઢોલમારુ ને હીરરાજાનું થયું આજે પતન..<br />
નવા પ્રેમીઓને કોઈ કેશે નહીં સાજણ..<br />
દિલ મારુ બાહુબલી..પાછળથી તે ઘા કરી..<br />
કેમ બની કટપ્પા..કેમ થઈ બેવફા..<br />
<br />
<b><span style="font-family: "arial" , "helvetica" , sans-serif;">Janaksinh Zala</span></b><br />
<b><span style="font-family: "arial" , "helvetica" , sans-serif;">Reporter-Phulchhab Daily</span></b><br />
<b><span style="font-family: "arial" , "helvetica" , sans-serif;">Rajkot-Gujarat</span></b><br />
<b><span style="font-family: "arial" , "helvetica" , sans-serif;">Mo.9428567833 </span></b></div>
</div>
Janakhttp://www.blogger.com/profile/06111052162931161072noreply@blogger.comtag:blogger.com,1999:blog-9044141999650980972.post-18345810890227208672009-09-20T05:13:00.000-07:002010-04-05T03:33:06.898-07:00પ્રેમ તણી પ્રતિમાનો તરસ્યો પ્રેમી<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjmXkmqNMhMzwxdag-9U6CyykYFRU-Ih12z-vfPKrYx8yTqLi9SJW80Z-KsdLMn-I8m2_GzKc6QjXYLIN0kQjAUoweOOttrPK4CODIvlR8h0wtXq1Kcw1odnZNWG6kkYnTXcZdxtSar6T5m/s1600-h/img1090918006_1_2.jpg"></a><br />
<div style="text-align: justify;"><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjznOVb3F2DutfgtDZas81vX1gQexW3pYq_i80sGxT4kV3FsybVx91T94uhfvmHgzwmjT8IRShOjG4R3Knvdcdxg806MU28xBbXf2Q-PdFXPESe22Bc-VRMWrZMNq3hM2jjruRmML-U_rFb/s1600-h/img1090918006_1_1.jpg"><img alt="" border="0" id="BLOGGER_PHOTO_ID_5383522771959143570" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjznOVb3F2DutfgtDZas81vX1gQexW3pYq_i80sGxT4kV3FsybVx91T94uhfvmHgzwmjT8IRShOjG4R3Knvdcdxg806MU28xBbXf2Q-PdFXPESe22Bc-VRMWrZMNq3hM2jjruRmML-U_rFb/s320/img1090918006_1_1.jpg" style="float: left; height: 317px; margin: 0px 10px 10px 0px; width: 300px;" /></a> <i style="color: white;">પાંચુ ગોપાલ પાલ, કોલકાતાનો એક એવો મૂર્તિકાર જેણે આજથી 30 વર્ષ પૂર્વે ધંધા-રોજગાર માટે મધ્યપ્રદેશનાં ઈંદૌર શહેરની રાહ પકડી. કોઈકે એને કહેલું કે, ભાઈ કોલકાતામાં મૂર્તિ બનાવવા કરતા અહીં ઈંદૌર આવીને માતાજીની મૂર્તિઓ બનાવશો તો નાણાની સાથોસાથ નામના પણ મળશે. </i></div><div style="color: white; text-align: justify;"> </div><div style="color: white; text-align: justify;"><i>બસ એ જ દિવસ અને એ ઘડીએ બગાળના આ મૂર્તિકારે પોતાનું વતન છોડ્યું અને ઈંદૌર આવીને અહીંના બંગાલી ચૌરાહા (બગાળી ચોક) વિસ્તાર પાસે જ નાનકડો એક તંબૂ નાખીને મૂર્તિ બનાવાનું શરૂ કર્યું.</i><br />
<br />
શરૂઆતમાં મૂર્તિઓને ખરીદનારા ગ્રાહકો ખુબ જ ઓછા મળતાં કારણ કે, એ સમયે ઈંદૌરમાં દૂર્ગાપૂજાનું કોઈ ખાસ એવું ચલણ ન હતું. ધીરે ધીરે સમય બદલાયો અને પાંચુ ગોપાલનું નસીબ પણ. ઈંદૌરી લોકો ગણેશોત્સવની સાથોસાથ દૂર્ગાપૂજાની પણ ઉજવણી કરતા થયાં. આદ્યશક્તિની ભકિતમાં ડૂબવા લાગ્યાં. એક સમયે પૂરા નવરાત્રિ મહોત્સવમાં માત્ર 10 થી 12 મૂર્તિઓ વેંચીને પોતાનું ગુજરાન ચલાવનાર પાંચુ ગોપાલ હવે 100-150 મૂર્તિઓ બનાવવા લાગ્યાં છે. </div><div style="color: white; text-align: justify;">આજે સ્થિતિ એવી છે કે, પાંચુ ગોપાલ આ કામમાં એકલા પહોંચી શકતા નથી તેમણે મૂર્તિ બનવવા માટે અન્ય છ કારીગરોને કામ પર રાખ્યાં છે. ઈંદૌરમાં રોજી-રોટી મળી રહેતા બગાળના અન્ય મૂર્તિકારો પણ અહીં આવીને વસ્યાં છે. પૂરા શહેરમાં આવા આઠ-દસ પરિવાર છે જે નવરાત્રિ અથવા તો ગણેશોત્સવમાં મૂર્તિઓનું નિર્માણ કરીને સમગ્ર વર્ષની કમાણી કરી લે છે. તેમની પાસે 10 રૂપિયાથી માંડીને પાંચ હજાર સુધીની મૂર્તિઓ છે. પાંચુ ગોપાલ કહે છે કે, ' આજથી 20-30 વર્ષ પહેલાની તુલનાએ હાલ સારી સ્થિતિ છે. હવે કોઈ પણ પ્રકારની આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. </div><div style="color: white; text-align: justify;">ઈંદૌરની જનતા ધાર્મિક છે. તેઓ મૂર્તિ ખરીદવામાં કદી પણ પૈસા સામે જોતા નથી. આજથી 20-30 વર્ષ પૂર્વે અમે પીઓપીમાંથી મૂર્તિઓ બનાવતા હતાં પરંતુ હાલ બંગાળમાંથી આવતી પીળી માટી વડે જ તેનું નિર્માણ કરવામાં આવે છે. અન્ય કોઈ કેમિકલનો ઉપયોગ ન કરીને માત્ર વોટર કલરથી બનતી આ મૂર્તિઓ પર્યાવરણ અને નદીના પાણીને પણ નુકસાન પહોંચાડતી નથી.'મૂર્તિઓ માટે સાજ શણગાર પણ બંગાળથી મંગાવામાં આવે છે. </div><div style="color: white; text-align: justify;"><br />
</div><div style="color: white; text-align: justify;">પાંચુજી કહે છે કે, ' એક મૂર્તિ બનાવામાં ઓછામાં ઓછુ એક અઠવાડિયું વિતી જાય છે. અમે લોકો નવરાત્રિ મહોત્સવના ત્રણ-ચાર માસ પહેલા જ મૂર્તિઓ બનાવાનું શરૂ કરી દઈ છે. જો કે, ઈંદૌર અને બગાળમાં દૂર્ગાપૂર્જામાં થોડી ભિન્નતા જરૂર છે તેમ છતાં પણ માતાજી પ્રત્યેની લોકોની શ્રદ્ધા અને વિશ્વાસ જોઈને ખુબ જ ખુશી થાય છે. 'પાંચુજીએ બગાળના 'કુમારતોલી'માં પાંચુએ મૂર્તિ ઘડવાનું કામ શિખ્યું. જ્યાં આજે પણ આશરે 200 જેટલા મૂર્તિ બનાવાના લઘુ ઉદ્યોગોમાં 50000 જેટલા કારિગરો કામ કરે છે. </div><div style="color: white; text-align: justify;"> </div><div style="color: white; text-align: justify;">કોલકાતાના નોદિયા જિલ્લાના બેથુઆડોગરી નામના નાનકડા ગામમાં જન્મેલા અને પોતાના જીવનના 60 દશકા વિતાવી ચૂકેલા બંગાળના આ મૂર્તિકારનો પુત્ર રાજીવ પણ આ વ્યવસાય સાથે જોડાઈ ચૂક્યો છે. હાલ પાંચુજીના નાનકડા એવા તંબૂમાં માઁ દૂર્ગાના નવે નવ અવતારની મૂર્તિઓ વિવિધ મુદ્વા અને આસનમાં બિરાજમાન છે. પ્રથમ દૃષ્ટિએ જોનારાને એવું જ લાગે કે, આ કોઈ તંબૂ નહીં પરંતુ નવદૂર્ગાનું પવિત્ર આદ્યસ્થાન છે.</div><div style="color: white; text-align: justify;"><b>Janaksingh ZalaSub Editor (Webdunia Pvt. Ltd) Mo. 09754144124</b> </div><div style="color: white; text-align: justify;"><br />
</div><div style="color: white; text-align: justify;"><iframe allowfullscreen='allowfullscreen' webkitallowfullscreen='webkitallowfullscreen' mozallowfullscreen='mozallowfullscreen' width='320' height='266' src='https://www.blogger.com/video.g?token=AD6v5dzjmgSIcadI2rCkY_-HTsq-hwXkuUFA2x6m9SBMWpNCAav8L-6dFImngUrxBkEf8pEAXmzzzft2wlz631dMLQ' class='b-hbp-video b-uploaded' frameborder='0'></iframe></div>Janakhttp://www.blogger.com/profile/06111052162931161072noreply@blogger.comtag:blogger.com,1999:blog-9044141999650980972.post-7813002253855559382009-09-19T23:07:00.000-07:002010-04-05T03:36:40.969-07:00ભક્તિના પર્વમાં ભોગ-વિલાસ શા માટે ?<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhf2klt3YgSb2aGnq3BQfey270SqPLXEl4JJYUF_TTaz8w5RuVdhfGOEbTo0sUwnXnzQmN0O_UnV4sMegFmMXX314lX2WgIOaxiRoVN9fHsebvEeSt4xA04laZY-zmWU16O9qKUtdXrT972/s1600-h/img1090918007_1_1.jpg"><img id="BLOGGER_PHOTO_ID_5383428653072293410" style="margin: 0px 10px 10px 0px; float: left; width: 300px; height: 255px;" alt="" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhf2klt3YgSb2aGnq3BQfey270SqPLXEl4JJYUF_TTaz8w5RuVdhfGOEbTo0sUwnXnzQmN0O_UnV4sMegFmMXX314lX2WgIOaxiRoVN9fHsebvEeSt4xA04laZY-zmWU16O9qKUtdXrT972/s320/img1090918007_1_1.jpg" border="0" /></a><br /><br /><div style="text-align: justify;"><em style="color: rgb(255, 255, 255);"><span style="color: rgb(255, 102, 102);">નવરાત્રિ એટલે યુવાઓનો પર્વ. ઢોલના ઢબકારે અને તાલીઓના સથવારે ઝૂમવાનો પર્વ. હાથથી હાથ મિલાવીને ગરબે રમવાનો પર્વ.</span></em><br /><br /><span style="color: rgb(255, 255, 255);">નવ દિવસ સુધી આનંદ-કિલોલ કરતા અને એક બીજાના સંગાથે ડાંડિયાના તાલ મિલાવતા-મિલાવતા ક્યારેક ક્યારેક આ યુવાઓના દિલના તાર પણ એક-બીજા સાથે મળી જતાં હોય છે. આ નવ દિવસમાં યુવાનીના ઉંબરે આવીને ઉભેલા આ રંગરસીયાઓ પ્રેમના નામે જાણતા-અજાણતા એવી ભૂલો કરી બેસે છે જેનો ભોગ અંતે માત્ર અને માત્ર યુવતીઓને બનવું પડે છે.</span><br /><br /><span style="color: rgb(255, 255, 255);">ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષના આંકડાઓ તરફ દૃષ્ટિપાત કરીએ તો એ વાત આપને જરૂર જાણવા પડશે કે, નવરાત્રિ પૂર્ણ થયાં બાદ યુવતીઓમાં ગર્ભપાતના કેસોમાં ઉત્તરોતર વધારો થતો ગયો છે. હવે તો અહીંના ગાયનોકોલોજિસ્ટ અને સેક્સોલોજિસ્ટે પણ એ વાત સ્વીકારી છે કે, નવરાત્રી દરમિયાન છેલ્લા પાંચ વર્ષમાં ગર્ભપાતમાં કેસોમાં આશરે 10 ટકા જેટલી વૃદ્ધિ થઈ છે. અહીં પ્રશ્ન જરૂર થાય છે કે, આખરે એવા તે ક્યાં કારણો છે જેના કારણે નવરાત્રિ બાદ ગર્ભપાતના કેસો દિન-પ્રતિદિન વધતા જઈ રહ્યાં છે.</span><br /><strong style="color: rgb(255, 255, 255);"></strong><br /><strong style="color: rgb(255, 255, 255);"><span style="color: rgb(153, 51, 0);">સુંદર દેખાવાની હોડ ? </span></strong><br /><span style="color: rgb(255, 255, 255);">નવ દિવસ સુધી અન્ય સ્ત્રીઓથી ચડિયાતી દેખાવાની લહાયમાં યુવતીઓ ભપકાદાર મેકઅપ અને પરિધાન પહેરે છે જે કોઈ પણ યુવકનું મન મોહવા માટે પૂરતું છે. માતા-પિતા તો બિચારા એવું માનીને બેસે છે કે, પોતાનો સંતાનો ગરબે રમવા ગયાં છે પરંતુ હકિકત કંઈક જુદી જ હોય છે. જે દિકરા-દિકરીને માતાજીના ગરબાના મંડપમાં વચ્ચે હોવું જોઈતું હતું તે લવ ગાર્ડનોના ઘોર અંધારામાં જાડીઓની પાછળ પોતાના પ્રેમીઓના મુખમાં મુખ નાખીને પ્રેમના રાસ રમતા નજરે ચડે છે. કામુકતાના આવેશમાં ભાન ભૂલીને અંતે બન્ને એ કૃત્ય કરી બેસે છે જેની સમાજ લગ્ન પહેલા મંજૂરી આપતો નથી.</span><br /><br /><strong style="color: rgb(255, 255, 255);"><span style="color: rgb(153, 51, 0);">ગર્ભનિરોધક સાંધનો પ્રત્યેની જાગૃતતા</span></strong><br /><span style="color: rgb(255, 255, 255);">એક સમય એવો પણ હતો જ્યારે નવરાત્રિ બાદ ગર્ભપાત કરાવવા માટે યુવતીઓ પોતાના માતા-પિતા અથવા તો બહેનપણી સાથે પાછલા બારણે કોઈ ગાયનોકોલોજિસ્ટ અને સેક્સોલોજિસ્ટોનો સંપર્ક સાધતી હતી. સમાજમાં પોતાના કુટુંબની પ્રતિષ્ઠા બચાવવા માટે માતા-પિતાઓ પણ ડોક્ટરોને મો માંગી રકમે ગર્ભપાત કરવા માટે દબાણ કરતાં. ધનની લાલચમાં અમુક ડોક્ટરો પણ ગર્ભમાં રહેલા એ શિંશુની હત્યા કરી નાખતાં જેની આંખો પણ હજુ સુધી ખુલી હોતી નથી. આપણી સામે એવા કેટલાયે દાખલાઓ બન્યાં છે જેમાં નવરાત્રિ બાદ કોઈ કચરામાંથી તાજુ જન્મેલા મૃત ભ્રૂણ મળી આવ્યું હોય</span><br /><br /><span style="color: rgb(255, 255, 255);">પરંતુ હવે સમય બદલાયો છે આજના યુવાધનને પ્રણયના રાગ રમવામાં જરા પણ ડર લાગતો નથી. 'આઈ-પીલ' અને 'માલા-ડી' જેવી ગર્ભનિરોધક ગોળીઓથી આજકાલની યુવતિઓ પૂરી રીતે પરિચિત છે જ્યારે યુવકો પણ ખિસ્સામાં રૂમાલ હોય કે, ન હોય પણ પોતાના પાકિટમાં 'કોન્ડોમ' પેકેટ રાખવાનું ભૂલતા નથી. તેઓ બન્ને જાણે છે કે, જ્યાં સુધી તેમની પાસે આ સાધનો છે ત્યાં સુધી તેમને કોઈનો પણ ડર નથી.</span><br /><strong style="color: rgb(255, 255, 255);"></strong><br /><strong style="color: rgb(255, 255, 255);"><span style="color: rgb(153, 51, 0);">વાલીઓ તરફથી અપાતી વિશેષ છૂટ</span></strong><br /><span style="color: rgb(255, 255, 255);">સરકારે એવો નિયમ બનાવ્યો છે કે, રાત્રિના બાર વાગ્યા બાદ નવરાત્રિઓના તમામ આયોજનોને બંધ કરી દેવા. એટલે કે, રાત્રિના બાર વાગ્યે તમામ કાર્યક્રમોની પૂર્ણાહૂતિ કરી દેવી. મોટાભાગના આયોજકો તે નિયમને અનુસરે પણ છે અને બાર વાગ્યે લાઉડ સ્પિકરોને બંધ કરી દેવામાં આવે છે. તેમ છતાં પણ ખેલૈયાઓ વહેલી સવારે ઘરે પહોંચે છે. મા-બાપ પણ ક્યારેય એ પુછવાની દરકાર લેતા નથી કે, રાત્રિના બાર વાગ્યા બાદ તેઓ ક્યાં હતાં ?</span><br /><strong style="color: rgb(255, 255, 255);"></strong><br /><strong style="color: rgb(255, 255, 255);"><span style="color: rgb(153, 51, 0);">આયોજકોની પણ ભૂલ</span> </strong><br /><span style="color: rgb(255, 255, 255);">ગરબા આયોજન કરનારા સંચાલકો પણ આની પાછળ અમુક હદે જવાબદાર છે. અમુક સંચાલકો મધ્ય રાત્રિ બાદ પણ કાર્યક્રમ ચાલુ રાખે છે. અહીં ખેલૈયાઓને પુછનારું અન્ય કોઈ હોતું નથી. મોકો મળતા જ તેઓ રફુ-દફુ થઈ જાય છે અને એકાદ-બે કલાક મોજ મજા કરીને પાછા રમવા માટે જોડાઈ જાય છે. જો કાર્યક્રમોનું વહેલું સમાપન કરી લેવામાં આવે તો માતા-પિતાઓ અને વાલીઓ પણ પોતાના સંતાનો સાથે આવે અને કાર્યક્રમ પૂરા થયે સંતાનો સાથે જ ઘરે પરત ફરે.</span><br /><strong style="color: rgb(255, 255, 255);"></strong><br /><strong style="color: rgb(255, 255, 255);"><span style="color: rgb(153, 51, 0);">પોલીસ વ્યવસ્થાની ઉણપ </span></strong><br /><span style="color: rgb(255, 255, 255);">જો પોલીસ પણ આ નવ દિવસ દરમિયાન લવ ગાર્ડન, હોટલો, ગેસ્ટ હાઉસો અને અન્ય એકાંત વાળા સ્થળો પર ચાપતો બંદોબસ્ત રાખે તો આ યુવાઓને ભોગ-વિલાસ કરતા રોકી શકે છે પરંતુ એવું પણ બહાર આવ્યું છે કે, અમુક રૂપિયા લઈને ફરજ પરના પોલીસ અધિકારીઓએ સ્વયં આ ખેલૈયાઓને ખુલ્લુ મેદાન આપી દે છે.</span><br /><br /><span style="color: rgb(255, 255, 255);">અંતે એટલું જ કહેવાનું કે, નવરાત્રિ એટલે માં શક્તિની આરાધનાનો પર્વ. ભક્તિના પર્વમાં ભોગ-વિલાસ શા માટે ? જો આપના પણ કોઈના માતા-પિતા હોય તો આ લેખ વાંચીને પૂરા ચેતી જાવો. ક્યાંક તમારા બાળકો પણ જુવાનીના જોશમાં કોઈ એવું કૃત્ય ન કરી બેસે જેના કારણે અંતે તમારે સમાજની ટીકાનો ભોગ બનવું પડે.</span><br /><span style="color: rgb(255, 255, 255);"><strong>Janaksingh ZalaSub Editor (Webdunia Pvt. Ltd) Mo. 09754144124</strong></span></div>Janakhttp://www.blogger.com/profile/06111052162931161072noreply@blogger.comtag:blogger.com,1999:blog-9044141999650980972.post-83443845634739012752009-09-08T20:33:00.000-07:002010-04-05T03:39:43.897-07:00ક્યાં છે એ કાગડો...?<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgyvnoA2oEVAHnTsUthBsWBr9AjfX6t5rM4f0xWy9pjYPvybs1KwviIbonDp3TV3_NLBfVdhSFsIJIGpYIsFynRworln4lny-6fjxHliiPM73J3ibFm38uXOoM0JLNZXOhENZ14ZziveD3f/s1600-h/img1090908022_1_1.jpg"><img alt="" border="0" id="BLOGGER_PHOTO_ID_5379306504250420386" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgyvnoA2oEVAHnTsUthBsWBr9AjfX6t5rM4f0xWy9pjYPvybs1KwviIbonDp3TV3_NLBfVdhSFsIJIGpYIsFynRworln4lny-6fjxHliiPM73J3ibFm38uXOoM0JLNZXOhENZ14ZziveD3f/s320/img1090908022_1_1.jpg" style="float: left; height: 215px; margin: 0px 10px 10px 0px; width: 282px;" /></a><br />
<div style="color: white; text-align: justify;"><i>''હજુ પણ યાદ છે શૈશવના એ સ્મરણો જ્યારે ગામમાં આવેલા અમારા મકાનના ફળિયામાં ખાટલો ઢાળીને દાદાની પડખે હું સૂતો રહેતો. સવાર પડતા જ જ્યારે સુરજ દેવતા પૂર્ણ કળાએ ખિલતા ત્યારે તેમના તેજસ્વી પ્રકાશથી નાની નાની મારી આંખો ખુલતી.ફળિયામાં જ દાદાએ પશુ-પક્ષીઓને ચણવા માટે એક ચબુતરો બનાવડાવેલો</i> </div><div style="color: white; text-align: justify;"><br />
</div><div style="color: white; text-align: justify;"><i>જ્યાં કાબર, કાગડો, પોપટ, કબૂતર અને હોલા જેવા પક્ષીઓ પોતાનું અને પોતાના બચ્ચાઓનું પેટ ભરવા આવી ચડતા. આ બધા પશુઓના મધુરવ કલરવ વચ્ચે કાગડાનો કાં...કાં...કાં જેવો કર્કશ અવાજ એક એલાર્મ ક્લોકનું કામ કરતો અને ન ઈચ્છવા પડતા આ અવાજથી ત્રસ્ત થઈને મારે ઉઠવું પડતું. અચાનક જ એ કાગડો ઘરના નળિયા પર બેસીને કાં..કાં કરવા લાગતો ત્યારે પોતાના એક હાથે નાકમાં છીંકણી ભરીને કાગડા તરફ ઘરડી આંખોને ફેરવીને મારી દાદી પોતાની વહૂઓ એટલે કે મારી મમ્મી અને કાકીઓને કહેતી કે, 'આજે ઘરે કોઈ મહેમાન આવવાનું છે, જલ્દી રસોઈ બનાવી રાખશો જુઓને આ કાગડો સવારથી કાં..કાં કરી રહ્યો છે.''</i> </div><div style="color: white; text-align: justify;"><br />
<br />
</div><div style="color: white; text-align: justify;">સમય વીતતો ગયો અને એ કાગડો પણ મારા દાદાની જેમ મને છોડીને ચાલ્યો ગયો. આજે મને ક્યાંય પણ કાગડો જોવા મળતો નથી. પર્યાવરણમાં દિવસે ને દિવસે વધી રહેલા પ્રદુષણે એ કાગડાને મારાથી ઘણો દૂર-દૂર કરી દીધો છે. વાતાવરણમાં વધતા જતા કાર્બન ડાયોક્સાઈડે ઓઝોન વાયુના સ્તરમાં જ્યાં કાણાઓ પાડી દીધા છે ત્યાં બીજી તરફ વૃક્ષોની પણ દિવસેને દિવસે ઘટતી સંખ્યાએ પ્રાણવાયુ ઓક્સિજનનું પ્રમાણ ઘટાડ્યું છે. આવા વાતાવરણમાં જ્યાં માનવીઓને રહેવું પણ મુશ્કેલ બની ગયું છે ત્યાં પક્ષીઓની તો વાત જ શું કરવી ? </div><div style="color: white; text-align: justify;"><br />
</div><div style="color: white; text-align: justify;">હાલના દિવસોમાં પિતૃપક્ષ ચાલી રહ્યો છે. લોકો પોતાના પિતૃઓ માટે શ્રાદ્ધનું આયોજન કરી રહ્યાં છે. પિંડદાન, દાન-પુણ્ય, તર્પણ મારફત પોતાના પિતૃઓની આત્માની શાંતિ અને મોક્ષ અર્થે પ્રાર્થનાઓ કરી રહ્યાં છે અને સાથોસાથ પોતાના પરિવારની સુખ-સમૃદ્ધિ માટે આર્શીવાદ લઈ રહ્યાં છે તેવા સમયે જેના માધ્યમ થકી પિતૃઓ સુધી ભોજન પહોંચે છે અને રાહૂ અને કેતૂ જેવા ગ્રહોથી શાંતિ મળે છે એવો મારો પ્રિય કાગડો અચાનક જ અદૃશ્ય થઈ જતાં મને ઘણું દુ:ખ થઈ રહ્યું છે. પિતૃપક્ષમાં કાગડાઓનું ઘણું મહત્વ હોય છે. </div><div style="color: white; text-align: justify;">ધાર્મિક માન્યતા અનુસાર પિતૃઓના તર્પણ માટે ભોજનમાં અતિથિ ભોજન, કાગ ભોજન, ગૌ ભોજન અને કિડીઓનું ભોજન અલગથી કાઢવામાં આવે છે. કહેવાય છે કે, આ રૂપમાં પિતૃઓને ભોજન મળે છે પરંતુ હાલ કાગડાઓના અભાવે કાગ ભોજન માટે શહેરી લોકોને ખુબ જ મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. સિમેંટ અને કોંક્રિટથી બનેલા આ જંગલોને છોડીને કાગડો ઘણો જ દૂર ચાલ્યો ગયો છે. વધતું પ્રદુષણ, શહેરી ક્ષેત્રોના પૂર ઝડપી વિકાસ, વનોની ઘટતી સંખ્યાને પગલે અપર્યાપ્ત ભોજન, ઔધોગિક ક્ષેત્રનો વિકાસ અને તેમાથી નિકળનારો હાનિકારક ધુમાડો આ તમામ એ પરિબળો છે જેણે કાગડા સહિત અન્ય કેટલાયે પંક્ષીઓની સંખ્યામાં ઘટાડો કર્યો છે. </div><div style="color: white; text-align: justify;"><br />
</div><div style="color: white; text-align: justify;">અધુરામાં પુરુ આજે રોડ અકસ્માતો અને વીજથાંભલાઓ પર શોર્ટ સર્કિટને લીધે કેટલાયે પશુ પક્ષીઓ અકાળે મૃત્યુને ભેટે છે. તેવા સમયે સરકાર પણ કુભનિંદ્રામાં સુઈ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કાગડાઓ સહિત કેટલાક અન્ય પશુ-પક્ષીઓની સંખ્યામાં જે પ્રકારે ઉત્તરોત્તર ઘટાડો નોંધવામાં આવ્યો છે તેનો ઉલ્લેખ ન તો કદી સાંસદ ભવનમાં થયો છે ન તો કોઈ છાપાવાળાએ તેની નોંધ લીધી છે. સિંહ અને વાધની ઘટતી સંખ્યા સિવાય તેઓને અન્ય પશુઓ દેખાતા નથી. તેઓની આંખો પર કાળા ચશ્મા લાગેલા છે અને કદાચ એટલા માટે જ તેમને કાળો કાગડો નજરે ચડી રહ્યો નથી. </div><div style="color: white; text-align: justify;"> </div><div style="color: white; text-align: justify;">janaksingh zala</div><div style="color: white; text-align: justify;">sub-editor (webdunia.com.pvt.Ltd)</div><div style="color: white; text-align: justify;">Mo. 9754144124</div>Janakhttp://www.blogger.com/profile/06111052162931161072noreply@blogger.com0tag:blogger.com,1999:blog-9044141999650980972.post-76611344090804999142009-09-04T01:53:00.000-07:002010-04-05T03:41:10.360-07:00ને..રેડ્ડી સૌને રડતા મૂકી ગયાં..<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEilroKNpZA0Hqdk4xF4l-JFpTOcJouNqIhAWAyUOtP8GVBOHr4GM5MAYHTOVQa6HlQv09MzyVME0nWeqwbHdGzcRWZfBkpYj7bIBtN2zrqano94i9F5uK6Zo5ZyxxKruQu6HP7pUct6isGd/s1600-h/img1090904006_1_1.jpg"><img alt="" border="0" id="BLOGGER_PHOTO_ID_5377533142765770978" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEilroKNpZA0Hqdk4xF4l-JFpTOcJouNqIhAWAyUOtP8GVBOHr4GM5MAYHTOVQa6HlQv09MzyVME0nWeqwbHdGzcRWZfBkpYj7bIBtN2zrqano94i9F5uK6Zo5ZyxxKruQu6HP7pUct6isGd/s320/img1090904006_1_1.jpg" style="float: left; height: 236px; margin: 0px 10px 10px 0px; width: 300px;" /></a><br />
<div style="color: white; text-align: justify;"><i>પ્રેમ અને મૃત્યુની જો તુલના કરવામાં આવે તો પ્રેમ મૃત્યુથી અનેક ગણો મજબૂત છે. ભલે મનુષ્ય પોતાના મૃત્યુ પર વિજય ન પામી શકે, ભલે મૃત્યુ તેને પોતાના પ્રેમાળ વ્યક્તિઓ દૂર કરી દે તેમ છતાં પણ તે વ્યક્તિ પોતાના મહાનકાર્યો થકી સદેવ એ જ પ્રેમ પામતો રહે છે જેની કલ્પના તેણે જીવતા રહેતા પણ કરી નથી હોતી. </i></div><div style="color: white; text-align: justify;"><i><br />
</i></div><div style="color: white; text-align: justify;"><i>આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ડો. યેદુગુલી સાંદિનતી રાજશેખર રેડ્ડી જેને લોકો મોટાભાગે 'વાઈએસઆર' ન રૂપે જાણતાં રહ્યાં તેમનું ગુરૂવારે એક હેલીકોપ્ટર દુર્ઘટનામાં તેમના અંગત સચિવ અને અન્ય અધિકારીઓ સાથે મૃત્યુ નિપજ્યું. કોંગ્રેસે એક એવો નેતા ગુમાવ્યો જેણે એક પાયાનો પથ્થર બનીને દિવસ રાત જોયા વગર પાર્ટી અને પોતાના રાજ્યની તન, મન અને ધનથી સેવા કરી હતી. </i></div><div style="color: white; text-align: justify;"><i><br />
</i><br />
<i>રેડ્ડીની લોકપ્રિયતાનો અંદાજો એ વાત પરથી જ લગાવી શકાય છે કે, તેમના મૃત્યુના સમાચાર સાંભળતાની સાથે જ પ્રદેશના અલગ અલગ ભાગોમાં 60 થી વધું લોકો મૃત્યુ પામ્યાં. 12 લોકોએ પોતાના પ્રિય મુખ્યમંત્રીની અણધારી વિદાયથી આપઘાત કરી લીધો જ્યારે અન્ય લોકોનું હ્રદય રોગના કારણે મૃત્યુ</i></div><div style="color: white; text-align: justify;"><i>નિપજ્યું. </i></div><div style="color: white; text-align: justify;"><i><br />
</i><br />
<i>રાયલસીમાં ક્ષેત્રના પછાત ગણાતા પેલીવેંદુલા ગામમાં 8 જુલાઈ 1949 ના રોજ જન્મેલા રેડ્ડીએ હમેશાથી જ નિર્ધન અને ઉપેક્ષિત વર્ગના લોકોના અધિકારો માટે સંઘર્ષ કર્યો. લોકોની સેવા કરવાનું સૌભાગ્ય તેમને વારસામાં મળ્યું હતું. વાઈએસ રાજાના પુત્ર ડો. રેડ્ડીએ પોતાના વિદ્યાર્થી જીવનમાં જ રાજનીતિમાં રસ દાખવાનું શરૂ કરી દીધેલું. એમબીબીએસની પદવી પ્રાપ્ત કર્યાં બાદ ડો.રેડ્ડીએ વર્ષ 1973 માં પિતા વાઈએસ રાજા રેડ્ડીના નામ પર પેલીવેંદુલા માં 70 પથારીઓ વાળું એક ઘર્માર્થ ચિકિત્સાલય પણ સ્થાપિત કર્યું. વર્ષ 1978 માં પ્રથમ વખત ચૂંટણી લડીને તેમણે રાજનીતિમાં પ્રવેશ કર્યો. તે ચાર વખત રાજ્ય વિધાનસભા અને અને ચાર વખત લોકસભાના સભ્ય પણ રહ્યાં. </i></div><div style="color: white; text-align: justify;"><i><br />
</i></div><div style="color: white; text-align: justify;"><i>રેડ્ડીએ પોતાની રાજકિય કારકિર્દીમાં પાર્ટીમાં એક કુશળ નેતા, વહીવટકર્તા અને સંચાલનકર્તા તરીકે જબરદસ્ત નામના મેળવી હતી અને પોતાના 30 વર્ષ ભારત દેશને અર્પિત કર્યાં હતાં. તે 1983 થી લઈને 1985 સુધી અને બાદમાં 1998 થી લઈને 2000 સુધી આંધ્રપ્રદેશ કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ પદે રહ્યાં. તેમણે પ્રદેશ સરકારના કેટલાયે વિભાગોના મંત્રીઓનું પદ પણ સંભાળ્યું. તેમને કોંગ્રેસ પાર્ટી પ્રત્યે સૌથી પ્રતિબદ્ધ નેતાના રૂપમાં ઓળખવામાં આવતાં. પોતાના મૃદુભાષી સ્વભાવથી લોકોના પ્રિય ગણાતા અને હમેશા એક સામાન્ય વ્યક્તિની જેમ ઘોતી અને ઝભ્ભો પહેરનારા રેડ્ડીનું આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી પદે બિરાજમાન થવાનું સોભાગ્ય એ તેમની કર્તવ્યનિષ્ઠા અને સેવાપારાયણની ભાવનાનું પરિણામસ્વરૂપ હતું. </i></div><div style="color: white; text-align: justify;"><i><br />
</i><br />
<i>કોંગ્રેસને રેડ્ડીના રાજ્યમાં હમેશા ફાયદો મળ્યો. છેલ્લી બે ચૂંટણીમાં આંધ્રપ્રદેશે કોંગ્રેસના સાંસદોની સંખ્યામાં વધારો કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. વર્ષ 2004 માં આ રાજ્યમાં કોંગ્રેસના 29 સાંસદો હતાં જે સંખ્યા વર્ષ 2009 માં 33 સુધી પહોંચી ગઈ છે. ભલે ચૂંટણીમાં યૂપીએ સરકારને સેન્ટરમાંથી વધુ ફાયદો ન મળ્યો હોય પરંતુ આંધ્રપ્રદેશે રેડ્ડીના પ્રયત્નો થકી કેન્દ્રની સરકારને ખુબ જ લાભ અપાવડાવ્યો </i></div><div style="color: white; text-align: justify;"><i><br />
રેડ્ડી દરેક વાતને ધ્યાન પૂર્વક સાંભળતા અને કોઈ પણ કાર્યને ઝીણી આંખે નીહાળ્યાં બાદ તેના પર અમલ કરતાં. રેડ્ડીએ પૂર્વગામી મુખ્યમંત્રી ચંદ્રબાબું નાયડુની સફળતા અને નિષ્ફળતાનું ગહન અધ્યયન કર્યું હતું અને તેમાંથી બોધપાઠ લઈને તેમણે પોતાના રાજ્યમાં વિવિધ યોજના-પરિયોજનાઓને કાર્યાન્વિત કરી હતી. </i></div><div style="color: white; text-align: justify;"><i>આંધ્રપ્રદેશમાં છેલ્લા નવ વર્ષથી વિપક્ષનો વાવટો ફરકાતો હતો. એ મુખ્યમંત્રી રેડ્ડી જ હતાં જેણે આ રાજ્યમાં કોંગ્રેસને વિજય અપાવ્યો. વર્ષ 2003 માં 1500 કિલોમીટરની પદયાત્રાનું આયોજન કરીને સમાજના ગરીબ અને પછાત લોકોના ઘરે ઘરે જઈને તેઓની સમસ્યાઓ તેમની ભાષામાં જાણવા, સમજવા અને તેનું સમાધાન શોધવાનો પ્રયત્ન રેડ્ડીએ કર્યો. બસ ત્યારથી જ રેડ્ડીની લોકપ્રિયતા દિવસેને દિવસે વધવા લાગી. </i></div><div style="color: white; text-align: justify;"><i><br />
</i><br />
<i>હાલ આંધ્ર કોંગ્રેસ પાસે અસંખ્ય નેતાઓ છે પરંતુ રેડ્ડીએ જે કરિશ્મો દેખાડેલો તેવો કરિશ્મો કદાચ ભાગ્યે જ કોઈ નેતા દેખાડી શકશે. પાર્ટીનું મુખ્ય ધ્યેય આ રાજ્યમાં પાર્ટીના લોકોને જોડીને માઓવાદીઓ તથા તેલગાના સેપરેટિઝમ પર લગામ કસીને રાખવાનું છે. 42 લોકસભા સીટ ધરાવતું આ રાજ્ય કોંગ્રેસ માટે સફળતાના દ્વારની અમુલ્ય ચાવી છે. જેની આજ સુધી રેડ્ડીએ રખેવાળી કરી હતી. હાલ રાજ્યના નાણામંત્રી રોસૈયાને કામચલાઉ ધોરણે આ ચાવી સોંપવામાં આવી છે. આશા રાખીએ કે, તેઓ પણ તેની રખેવાળી સ્વ.વાઈએસઆરની જેમ પૂરતી કર્તવ્યનિષ્ઠા અને વફાદારીથી કરશે.</i></div><i><span style="color: #3366ff;"><span style="color: #993300;"><span style="color: #3333ff;"></span></span></span></i>Janakhttp://www.blogger.com/profile/06111052162931161072noreply@blogger.com0tag:blogger.com,1999:blog-9044141999650980972.post-66493600824593814112009-08-10T19:37:00.000-07:002010-04-05T03:43:30.512-07:00આખરે શું છે આ સ્વાઈન ફ્લૂ ?<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhxO9M89NN2_WI25o824KjW7XbKRTQ1nokEWXuDx5_APR0TJp_m-bMvt-5s19BQR8ady0Y8SDL9vx0b8ZUmU9ISU8H6YNITay7rCO5dvOSlrn0Avfl3FbMz5mgX4gkLIMJHxRM8bdNZH2sC/s1600-h/img1090810020_1_2.jpg"><img id="BLOGGER_PHOTO_ID_5368531341117613954" style="margin: 0px 10px 10px 0px; float: left; width: 300px; height: 241px;" alt="" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhxO9M89NN2_WI25o824KjW7XbKRTQ1nokEWXuDx5_APR0TJp_m-bMvt-5s19BQR8ady0Y8SDL9vx0b8ZUmU9ISU8H6YNITay7rCO5dvOSlrn0Avfl3FbMz5mgX4gkLIMJHxRM8bdNZH2sC/s320/img1090810020_1_2.jpg" border="0" /></a><br /><div style="text-align: justify; color: rgb(255, 255, 255);"> <em style="color: rgb(255, 255, 255);"><span style="color: rgb(51, 102, 255);">સ્વાઈન ફ્લૂની બિમારી દિવસેને દિવસે ન તો માત્ર ભારતના પરંતુ પૂરા વિશ્વના અસંખ્ય લોકોને પોતાના ભરડામાં લઈ રહી છે. ભારતમાં અત્યાર સુધીમાં આ બીમારીનો ભોગ અસંખ્ય લોકો બની ચૂક્યાં છે.</span></em><br /><br /><br />ગુજરાતમાં એક એનઆરઆઈ દંપત્તિ પણ ખંડિત થયું છે. છેલ્લે ચેન્નઈમાં એક ચાર વર્ષના બાળકનું મૃત્યુ નિપજ્યાં બાદ આ જીવલેણ બીમારીનો મૃતાંક છ એ પહોંચી ગયો છે અને હજુ પણ આ આંકડો ઉપર જવાની શક્યતા છે.<br /><br />આજે ઘણા બધા લોકો એવા છે જે સ્વાઈન ફ્લૂ વિષે જાણતા નથી. તાજેતરમાં નાગપુરના ઈંડિયન મેડિકલ એશોશિએસનને સ્વાઈન ફ્લૂ સંબધિત અમુક માહિતી રજૂ કરી હતી. જે હું આપ સુધી પહોંચાડી રહ્યો છું.<br /><strong></strong><br /><strong><span style="color: rgb(255, 102, 102);">એચવનએનવન (સ્વાઈન) ફ્લૂ આખરે શું છે ?</span></strong><br /><strong><span style="color: rgb(255, 102, 102);"><div>એચવનએનવન (H1N1) એક નવો વાયરસ છે જેના કારણે લોકો બીમારીનો ભોગ બને છે. હકીકતમાં આ વાયરસના લક્ષણો એપ્રિલ- 2009 માં યુ.એસમાં મળી આવ્યાં હતાં. અન્ય શહેરો જેવા કે, મેક્સિકો અને કેનેડામાં પણ આ વાઈરસના કારણે અસંખ્ય લોકો તાવમાં સપડાયાં હતાં. આ એક વા<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjFo2nQe00n5ZTvqOpsRrFkTTnPSSKLvZJNcm5uBPtYmRN30CfeI1Wlna58pR-Aq1eSXGfEXoW2nKnkIPOlt95mvE0gdyG9J4Ef0ngloG-vCutkc3ftwlm0gpPZoCxXPEPZtskDsnxCdWD2/s1600-h/img1090810020_1_1.jpg"><img id="BLOGGER_PHOTO_ID_5368531054033577954" style="margin: 0px 10px 10px 0px; float: left; width: 300px; height: 221px;" alt="" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjFo2nQe00n5ZTvqOpsRrFkTTnPSSKLvZJNcm5uBPtYmRN30CfeI1Wlna58pR-Aq1eSXGfEXoW2nKnkIPOlt95mvE0gdyG9J4Ef0ngloG-vCutkc3ftwlm0gpPZoCxXPEPZtskDsnxCdWD2/s320/img1090810020_1_1.jpg" border="0" /></a>યરસ છે જેનો ચેપ લાગવાથી તે અત્યત ઝડપી રીતે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં પ્રવેશી જાય છે. </div><div><br />માર્ચ-2009 ના અંતમાં અને એપ્રિલ માસની શરૂઆતમાં સ્વાઈન ફ્લૂ ઈંફ્લુએન્ઝા એ (H1N1) દક્ષિણ કેલિફોર્નિયા અને સેંટ એન્ટોનિયો (ટેક્સાસ) માં પ્રવેશ કર્યો. શરૂઆતી તબક્કામાં એ જાણવું ખુબ જ મુશ્કેલ રહ્યું કે, વ્યક્તિ આ વાયરસનો ભોગ બન્યો છે. બધા એવું જ માનતા આ તો સામાન્ય તાવના લક્ષણો છે પરંતુ જ્યારે આ તાવ લાંબા સમય સુધી તેમના શરીરમાંથી ન નિકળ્યો ત્યારે તેઓને તેની ગંભીરતા સમજાઈ. આ વાયરસે 65 વર્ષથી વધુ વયના લોકોને, પાંચ વર્ષની નીચેની ઉમરના બાળકોને,સગર્ભા સ્ત્રીઓને પોતાના નિશાને લીધા. </div><br /><div>એચવનએનવન એક જીવલેણ વાયરસ છે જેના વિષે દેશ-વિદેશના ઘણા બધા લોકો જાણતા નથી. આ વાયરસ તાવના વાયરસને બિલકુલ મળતો આવે છે. અહીં પણ દરદી સામાન્ય તાવ, કફ, ગળામાં ખરાશ, શરીરમાં તોડ, માથાનો દુખાવો અનુભવે છે. એચવનએનવનના કારણે કેટલાક લોકોને આ વાયરસના કારણે ઝાડા-ઉલટી અને ન્યૂમોનિયા પણ થઈ જાય છે. </div><br /><div><strong><span style="color: rgb(255, 102, 102);">બાળકોમાં જો નીચે મુજબના લક્ષણો જણાઈ આવે તો સમજી લેવું કે, તેઓ પણ સ્વાઈન ફ્લૂથી ગ્રસિત છે.</span></strong> </div><div> </div><div>* ઝડપથી શ્વાસ લેવો અથવા શ્વાસ લેવામાં પરેશાની</div><div>* વારંવાર ઉલટી થવી </div><div>* ચાલી ન શકવું, ક્રિયાપ્રતિક્રિયા ન આપવી</div><div>* મુંઝવણ અને વારંવાર રડવું </div><div>* તાવ અને શરદીનો ભોગ બનવું </div><div>* પૂરતું પ્રવાહી ન પીવું </div><br /><div><strong><span style="color: rgb(255, 102, 102);">વયસ્કોમાં સ્વાઈન ફ્લૂના લક્ષણોના ચિન્હો</span></strong><br />* શ્વાસ લેવામાં પરેશાની</div><div>* પેટ અને છાતીમાં દબાણ- દુ:ખાવાની ફરિયાદ </div><div>* ગભરાહટ * વારંવાર ઉલટી થવી</div><div>* અચાનક ચક્કર આવવા </div><div><strong><span style="color: rgb(255, 102, 102);"></span></strong></div><div><strong><span style="color: rgb(255, 102, 102);"></span></strong> </div><div><strong><span style="color: rgb(255, 102, 102);">તમે એચવનએનવન (સ્વાઈન) ફ્લૂ વાયરસને કેવી રીતે પકડી શકશો ?</span></strong><br />એચવનએનવન (સ્વાઈન) ફ્લૂ વાયરસ મુખ્યત્વે સીઝનલ ફ્લૂના વાયરસને મળતો આવે છે. આપણે જાણીએ છીએ કે, મોસમી તાવ શરદી-ઉધરસના થકી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. કેટલીક વખત આ વાયસરથી ગ્રસિત કોઈ વ્યક્તિનું મોઢુ, નાક કે શરીરના અન્ય અંગોને સ્પર્શવાથી પણ સામેવાળી વ્યક્તિને તેનો ચેપ લાગે છે. </div><div><strong><span style="color: rgb(255, 102, 102);"></span></strong></div><br /><div><strong><span style="color: rgb(255, 102, 102);">હું મારી જાતને આ બીમારીથી કેવી રીતે બચાવી શકું ?</span></strong><br />દુ:ખ સાથે કહેવું પડે છે કે, અત્યાર સુધી એચવનએનવન (સ્વાઈન) ફ્લૂ સામે રક્ષણ મેળવવા માટે અત્યાર સુધી કોઈ દવા બહાર પડી નથી. કેટલાક લોકો 'ટેમી ફ્લૂ' નામની દવા જરૂર વાપરે છે પરંતુ સ્વાસ્થ્ય વિભાગનું કહે છે કે, જ્યારે આ રોગના લક્ષણો મળી આવે ત્યારે આ દવાઓનું સેવન બિલકુલ બંધ કરી દેવું જોઈએ. અહીં કેટલાક સાવચેતીમાં રાખવા જેવા પગલાઓ ઈંડિયન મેડિકલ એસોસિએશને આપ્યા છે જેનું આ રોગથી ગ્રસિત દરદીઓએ અનુસરણ કરવું જોઈએ. </div><div> </div><div>* જ્યારે પણ ઉઘરસ અથવા શરદી આવે ત્યારે આપનું મોઢુ અને નાક ટિસ્યૂ પેપર વડે ઢાકી દો. બાદમાં તેને ફેંકી દો. </div><div>* શરદી-ઉઘરસ બાદ આપના હાથ ગરમ પાણી અને સાબુ વડે ઘોવાનું ન ભૂલશો. આલ્કોહોલ ધરાવતા હેન્ડ ક્લિનર વધુ ફાયદાકારક રહેશે. </div><div>* બની શકે તો તમારી આંખ, નાક અને મોઢાને સ્પર્શવાનું ટાળો કારણ કે કિટાળુઓ આ માર્ગેથી જ ફેલાય શકે છે. </div><div>* બીમારીથી પીડિત અન્ય લોકોથી થોડા દૂર જ રહો </div><div>* જો તમે બીમાર હોય તો ઘરમાં રહો અને બહાર જવાનુ ટાળો. ઓફિસે અને સ્કૂલો જવાની બિલકુલ પણ જરૂરિયાત નથી કારણ કે, તમારા બહાર જવાથી અન્ય લોકોમાં પણ આ વાયરસ ફેલાવાની ભીતિ રહેશે. </div><div><strong><span style="color: rgb(255, 102, 102);"></span></strong> </div><div><strong><span style="color: rgb(255, 102, 102);">હુ કેવી રીતે જાણી શકું કે, હું સ્વાઈન ફ્લૂથી ગ્રસિત છું ?</span></strong> </div><div>તમે ખુદ ક્યારેય પણ નહીં જાણી શકો કે, તમે સ્વાઈન ફ્લૂથી ગ્રસિત છો, કારણ કે, અગાઉ જણાવ્યા મુજબ સ્વાઈન ફ્લૂના દરદીમાં પણ એ જ ચિન્હો જોવા મળે છે જે મોસમી તાવના દરદીમાં જોવા મળે છે. માત્ર આરોગ્ય તંત્ર અને ડોક્ટરો જ તમારું ચેક અપ કરીને તમને જણાવી શકે છે કે, આ વાયરસ તમારા શરીરમાં પ્રવેશી ચૂક્યો છે કે, નહીં. </div><div> </div><div>છતાં પણ જો આપના મનમાં કોઈ શંકા સંશય હોય તો આપના લોહી અને કફના નમૂનાને તમે તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી શકો છે. અહીં પણ અફસોસ કરવા જેવી એક વાત એ છે કે, આવડા મોટો ભારત દેશમાં જ્યા કરોડોની સંખ્યામાં લોકો રહે છે ત્યાં આ વાયરસની તપાસ માટે માત્ર 18 જ લેબોરેટરી છે. </div></span></strong></div>Janakhttp://www.blogger.com/profile/06111052162931161072noreply@blogger.com0tag:blogger.com,1999:blog-9044141999650980972.post-15287931728079889452009-07-31T23:54:00.000-07:002010-04-05T03:48:34.189-07:00'રાખી નો સ્વયંવર' કે પછી ધતિંગવેડા<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgzHY08DIwIjMNsNHD876n4W2zJMlaT7VxME6YszhkTQl-6VuEXZ1GCdMHfetuMwRqifl7YINp-dmPMx10jCtBWYjIuQRCNW3ZnxbOgY6DqDumwvjMka85IRttzg1sGsZP2TVPg3Q0RHbI8/s1600-h/s.jpg"><img id="BLOGGER_PHOTO_ID_5364886078033805314" style="margin: 0px 10px 10px 0px; float: left; width: 250px; height: 172px;" alt="" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgzHY08DIwIjMNsNHD876n4W2zJMlaT7VxME6YszhkTQl-6VuEXZ1GCdMHfetuMwRqifl7YINp-dmPMx10jCtBWYjIuQRCNW3ZnxbOgY6DqDumwvjMka85IRttzg1sGsZP2TVPg3Q0RHbI8/s320/s.jpg" border="0" /></a><br /><div><a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi4vtMJjHfdRMD09W9yR-DxdwmhAf4w8FcBBy51K38IISx4HNxMwmCHCzYcF7i61TTQOykEqpjuYZSqPyYetzRPKEiLsVAFrZQiMcjmt57QW2EAWBAKgtkAm7gxLzh19xZqrO4erBRfLmQi/s1600-h/r.jpg"><img id="BLOGGER_PHOTO_ID_5364885943692829906" style="margin: 0px 10px 10px 0px; float: left; width: 234px; height: 320px;" alt="" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi4vtMJjHfdRMD09W9yR-DxdwmhAf4w8FcBBy51K38IISx4HNxMwmCHCzYcF7i61TTQOykEqpjuYZSqPyYetzRPKEiLsVAFrZQiMcjmt57QW2EAWBAKgtkAm7gxLzh19xZqrO4erBRfLmQi/s320/r.jpg" border="0" /></a><br /><br /><div><br /><div style="text-align: justify;"><span style="color: rgb(51, 51, 255);">'<span style="color: rgb(255, 255, 255);">'ટીઆરપી કે લિયે કુછ ભી કરેંગા.'' એનડીટીવી ઈમેજિન ચેનલે કદાચ આ જ મૂળ મંત્ર અપનાવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી આ ચેનલ પર પ્રસારિત થનારો એક રિયલિટી શો ખુબ જ ચર્ચામાં છે. જેમાં એક સાથે ઘણા બધા મૂરતિયાઓ એક સ્ત્રીને પરણવા માટે હરાયા ઢોરની જેમ ઉમટી પડ્યાં છે.</span></span><br /><br /><span style="color: rgb(51, 51, 255);"><!--Image--></span><br /><br /></div><div style="text-align: justify;" class="wdp_articleLImg"><br /><br /><span style="color: rgb(51, 51, 255);">મોઢામાં ચાંદીની ચમચી લઈને જન્મનારા અને સાત સમુંદર પાર કરીને અહીં આવનારા આ મુરતિયાઓ આ સ્ત્રી પાછળ બિલકુલ એવી રીતે ભાગી રહ્યાં છે જેવી રીતે 'ગદબ'ની પાછળ બકરી ભાગે છે. તેઓ આ સ્ત્રીને પામવા માટે નાચ ન આવડતા છતાં પણ નાંચી રહ્યાં છે, હાથના પંજા લડાવી રહ્યાં છે અને અટપટા લવ-લેટરો પણ લખી રહ્યાં છે. આ શો નું નામ છે 'રાખી કા સ્વયંવર'. જેમાં નવવધૂ છે રાખી સાવંત.<br /><br />રાખી સાવંત એજ અભિનેત્રી છે જે અવારનવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનો કારણે મીડિયામાં ચર્ચામાં આવવાનું વધુ પસંદ કરે છે. ખૈર અહીં આપણે તેના વિવાદાસ્પદ નિવેદનોની વાત નહીં કરીએ કારણ કે, બધા લોકો તેનાથી સારી રીતે પરિચિત છે. અહીં વાત કરીશું આ કાર્યક્રમ વિષે જેનો ગ્રાંડ ફાઈનલ આવતીકાલે એટલે કે, તારીખ 2 ઓગસ્ટના રોજ યોજાવાનો છે.<br /><br />કહેવામાં આવે છે કે, આ દિવસે રાખી ફાઈનલ સુધી પહોંચેલા ત્રણ સ્પર્ધકો ઈલેશ, માનસ, ક્ષિતિજ પૈકીના એક એવા પોતાના ભાવી ભરથારના ગળામાં ફૂલોનો હાર પહેરાવશે.<br /><br />બધા લોકો આ ક્ષણની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે. સાંજ પડતા જ મહિલાઓ પોતાના હાથોમાં રિમોટ પકડી લે છે. એક વાત અહીં જરૂર આશ્વર્યજનક લાગે છે કે, 'રાખી કા સ્વયંવર' જોવાની તાલાવેલી મહિલાઓમાં વિશેષ છે જે હકીકતમાં પુરૂષોમાં હોવી જોઈએ. કારણ કે, રાખી એક પુરૂષની પસંદગી કરવા જઈ રહી છે ન, કે કોઈ મહિલાને.<br /><br />શું રાખી એટલી બધી મુર્ખ છે, કે તેને પોતાની ગૃહસ્થી શરૂ કરવા માટે એક ટીવી ચેનલના રિયલિટી શો નો આશરો લેવો પડે અને તેને લગ્ન કરવા જ છે તો તેના બોયફ્રેન્ડ અભિષેક અવસ્થીનું શું ? જેની સાથે રાખી ક્યારેક લડે છે તો ક્યારેક ખુબ જ પ્રેમ કરતી ફરે છે ? રાખી કહે છે કે, 'મારુ અભિષેક સાથે બ્રેકઅપ' થઈ ગયું છે. આવા નિવેદનો તો રાખી અગાઉ પણ આપી ચૂકી છે. ટીવી ચેનલોએ બન્નેનો ઝઘડો કેટલીયે વખત નાના પડદે દેખાડ્યો છે. જેમાં અંતે સમાધાનના ભાગરૂપે મગરમચ્છના આસું સારતી રાખી અભિષેકને ગળે લાગીને કેમેરા સામે જ 'આઈ લવ યૂ' કહી ચૂકી છે.<br /><br />હમણા આ શો દરમિયાન પણ એવી ચર્ચા ઉઠેલી કે, 'રાખી' આ શો ને છોડવા ઈચ્છે છે તેને તેનો ભૂતપૂર્વ બૉયફ્રેન્ડ અભિષેક ખુબ જ યાદ આવી રહ્યો છે. જો આવું જ છે તો 'રાખી' 2 જી તારીખે કોને પસંદ કરશે ? કારણ કે, તેને ના ઈચ્છવા છતાં પણ એક વ્યક્તિની પસંદગી કરવાની જ છે. ક્યાંક એવું તો નહીં થાય ને કે, ટીવી ચેનલવાળાઓ જે વ્યક્તિ ફાઈનલમાં જીતે તેની સામે બે પ્રસ્તાવ રાખી દે. કે, '' ભાઈ કા તો તું રાખીને લઈજા અને કાંતો તને ફલાણા-ફલાણા રૂપિયા આપી દઈએ છીએ. સામે વાળો વ્યક્તિ પણ થોડો ઘણો વિચાર કરીને અંતે રૂપિયાની માંગણી સ્વીકારી લે.'' હાં ત્યારે આપણી 'રાખી' હમેશાની જેમ થોડી વાર રડશે, કરગરશે તો ખરી જ પરંતુ અંતે તો તે કુંવારી જ ગણાશે ને ?<br /></span></div><div style="text-align: justify;"><!--endImage--><span style="color: rgb(51, 51, 255);">શો નો શો પણ યોજાઈ જશે અને જો ટીઆરપીનો ગ્રાફ વધેલો જોવા મળશે તો કદાચ 'રાખી કા સ્વયંવર પાર્ટ-2' પણ થોડા દિવસોમાં સામે આવશે. રાખીએ આ શો ના ફાઈનલમાં મહેમાનોની યાદીમાં શાહરૂખ ખાન, સલમાન ખાન અને એશ્વર્યા રાય બચ્ચનને શામેલ કરવાનું વિચાર્યું છે. જ્યારે પોતાની સગી મા અને ભાઈને દૂરથી જ રામ-રામ કરી દીધા છે. રાખીની માતા જયા સાવંત અને રાકેશ સાવંતે તો મીડિયા સામે એમ પણ કહી દીધું છે કે, 'તે ગમે તેને પરણે અમારે તેની જોડે શું લેવા-દેવા. જ્યારે અમને બોલાવ્યા જ નથી તો અમે શા માટે ત્યાં જઈએ ?'</span><br /><br /><span style="color: rgb(51, 51, 255);">આમ પણ આ શો વિવાદોમાં ઘેરાતો જઈ રહ્યો છે. જયપુરની એક સ્થાનીય કોર્ટે તો રાખી સાંવત અને આ ટીવી ચેનલના અધિકારી સામે કેસ દાખલ કરવાનો પણ આદેશ આપી દીધો છે. ગૌરવ તિવારી નામના એક લેખકે કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે કે, આ શો નો વિચાર પહેલા તેમના મગજમાં ઉપજેલો તેમણે તેનું કોપીરાઈટ પણ કરાવ્યું પણ ટીવી ચેનલના અધિકારીઓએ તેમનો આ વિચાર ચોરી લીધો.</span><br /><br /><span style="color: rgb(51, 51, 255);">અમેરિકાના એબીસી ટેલીવિઝન નેટવર્કના સુપ્રસિદ્ધ રિયલિટી શો ' ધિ બૅચલરેટ' ની કાર્બનકોપી ગણાતા આ શો ને તમે મનોરંજક તો ન જ કહી શકો. છતાં પણ આજે આ ટીવી ચેનલના લોકો અને તેના પ્રેક્ષકો આ શો ને લઈને એટલા બધા વ્યસ્ત તેમજ આતુર જણાઈ રહ્યાં છે જાણે 'રાખી' નો નહીં પરંતુ તેમની બહેન-દિકરીનો સ્વયંવર હોય.</span><br /><br /><span style="color: rgb(51, 51, 255);">અંતમાં એટલું જ કહેવાનું કે, આપણે બધા રાખીને સારી રીતે જાણીએ છીએ. નખરા અને નાટકવેડા કરવામાં તેની કોઈ જોડ નથી. 'શો' ની સાથે ભાવનાત્મક રીતે જોડાવવું મારા મતે મુર્ખામી જ ગણાશે. એટલા માટે મારા ગુજરાતી બંધુઓ વધુ પડતા એસએમ કરીને ખિસ્સા ખાલી ન કરશો. કારણ કે, આ 'શો' તો ધતિંગ માત્ર છે. </span></div></div></div>Janakhttp://www.blogger.com/profile/06111052162931161072noreply@blogger.com0tag:blogger.com,1999:blog-9044141999650980972.post-83300674503695504862009-06-25T23:24:00.000-07:002009-06-25T23:35:23.975-07:00કદી નહીં ભૂલાય માઈકલ જૈક્સન...!<a href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEikhYIiLcv8uyuWOXcZM5inNWsJ5c1IZM7et0uDYVOjRFVzl3e3k76QIdLFSJyJmdKpe32OSTfVl6JWKQ5KRks1HDyP830SJjGR5OVeeQ1kPqU3M6ADA4twmZp5chYIFnF4JYm3OoWyf5nE/s1600-h/img1090626007_1_1.jpg"><img id="BLOGGER_PHOTO_ID_5351519442256095218" style="FLOAT: left; MARGIN: 0px 10px 10px 0px; WIDTH: 200px; CURSOR: hand; HEIGHT: 139px" alt="" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEikhYIiLcv8uyuWOXcZM5inNWsJ5c1IZM7et0uDYVOjRFVzl3e3k76QIdLFSJyJmdKpe32OSTfVl6JWKQ5KRks1HDyP830SJjGR5OVeeQ1kPqU3M6ADA4twmZp5chYIFnF4JYm3OoWyf5nE/s320/img1090626007_1_1.jpg" border="0" /></a> <span style="color:#3333ff;">કિંગ ઑફ પૉપ'ના નામથી વિશ્વભરમાં પ્રસિદ્ધિ મેળવનારો પૉપ સ્ટાર માઇકલ જૈક્સન આજે આપણી વચ્ચે નથી. શુક્રવારે વહેલી સવારે લૉસ એંજેલ્સમાં હ્રદય રોગના કારણે એક હોસ્પિટલમાં તેનું મૃત્યુ </span><span style="color:#3333ff;">નિપજ્યું . માઈકલ છેલ્લા ઘણા સમયથી બીમાર હતાં. મીડિયામાં અવાર નવાર તેમની કેન્સરની બીમારીને લગતા સમાચારો આવી રહ્યાં હતાં ત્યારે અચાનક જ હ્રદય રોગનો હુમલાથી તેમના નિધનની ખબરો બહાર આવતા સમગ્ર સંગીત જગતમાં શોકની લહેર ફેલાઈ ચૂકી છે.</span><br /><span style="color:#3333ff;"></span><br /><span style="color:#3333ff;">આમ 50 વર્ષની ઉમરે એક મહાન સુપર સ્ટાર અને ડાન્સરનો અંત આવ્યો છે. આ મહાન ડાન્સરે જીવનપર્યત જેટલી વખત પોતાના ચહેરા સાથે છેડછાડ કરી તેના કરતા અનેક ગણી વખત પોપ મ્યુજિક ચહેરાને પણ પરિવર્તિત કર્યો હતો. કહેવામાં આવે છે કે આ સુપરસ્ટારે પોતાના નાકનું નવ વખત ઓપરેશન કરાવેલું કદાચ આટલું તો હોલીવુડ અથવા બોલીવુડની કોઈ અભિનેત્રીઓ પણ નહીં કરતી હોય. માઈકલે પોતાની દાઢી અને નેણના આકારમાં પણ પરિવર્તન કરાવ્યું તેને પોતાના ચહેરા અને ચામડીને પણ ઓપરેશન મારફત શ્વેત બનાવી.</span><br /><br /><br /><p><span style="color:#3333ff;">જો તમને વિશ્વાસ ન આવતો હોય તો તમે ખુદ માઈકલનો કોઈ જૂનો ફોટો જોઈ શકો છો. તમે ઓળખી જ નહીં શકો કે આ માઈકલ જેકશન હોય શકે છે 30 વર્ષની ઉમરમાં માઈકલે આ પ્રકારના ઓપરેશન કરાવાનું ચાલુ કર્યું હતું જે અતં સુધી કાયમ રહ્યું.</span></p><span style="color:#3333ff;">ઈંડિયાના ગેરી શહેરમાં વર્ષ 1958 માં આ સુપરસ્ટાર્સનો જન્મ થયો. નવ ભાઈ-બહેનો પૈકીના એક માઈકલ જૈક્સનને સંગીત વારસામાં મળ્યું. પાંચ વર્ષની ઉમરમાં જ તે પોતાના પિતા જોસેફ દ્વારા ચલાવામાં આવનારા એક મ્યુજિકલ બેન્ડમાં કામ કરવાનું શરૂ કર્યું. આ મ્યૂજિક બેન્ડનું નામ હતું ''જેક્શન 5'' માઈકલ શેરીઓમાં નાચતો અને ગાતો પણ ખરો અને લોકો તેની પ્રતિભાની કદર કરીને તેને પુરસ્કાર રૂપે અમુક રકમ આપતા.</span><br /><br /><br /><p><span style="color:#3333ff;">વર્ષ 1970 માં માઈકલનો પ્રથમ આલ્બમ ''ડાયના રોઝ પ્રેસન્ટ ધિ જેક્સન 5'' રજૂ થયો. 20 વર્ષની ઉમરે માઈકલની કારકિર્દી પ્રગતિના પંથ પર આગળ ધપવા લાગી. ''આઈ વોન્ટ યુ બેક'', ''ધિ લવ યૂ સેવ'', ''એબીસી'', ''રોકીન રોબીન'' જેવા આલ્બમો કર્યા બાદ માઈકલ ''ધિ વિઝ'' નામની ફિલ્મ દરમિયાન માઈકલ ક્યુંસી જોનના સંપર્કમાં આવ્યાં જેણે માઈકલ સાથે પાંચમો મ્યૂજિક આલ્બમ ''ઑફ ધિ વોલ'' બનાવ્યો. આ આલ્બમે ખુબ જ પ્રસિદ્ધિ મેળવી.</span></p><span style="color:#3333ff;">માઈકલ આટલાથી સંતુષ્ટ ન હતાં. તેમની ઈચ્છા હતી કે તેના આલ્બમના તમામ ગીતો હિટ થાય અને સાચે થયું પણ એવું. ''થ્રિલર'' નામના આલ્બમ બાદ માઈકલનો અવાજ અને ડાન્સ પૂરા વિશ્વમાં પ્રસિદ્ધ થઈ ગયાં. આ આલ્બમની સમગ્ર વિશ્વમાં આશરે 4 કરોડ 60 લાખ કેસેટ વહેચાઈ અને રાતોરાત દુનિયાભરના લોકો માઈકલના ખાસ પ્રશંસકો બની ગયાં.</span><br /><br /><br /><p><span style="color:#3333ff;">''ગ્લોબલ વાર્મિંગ'' ને કેન્દ્રસ્થાને રાખીને બનાવામાં આવેલા માઈકલના એક આલ્બમે પણ તેને ખુબ જ પ્રસિદ્ધિ અપાવી. માઈકલે પોતાની કારકિર્દીમાં કેટલાક ટીવી શો અને ફિલ્મો પણ કરી. </span></p><p><span style="color:#3333ff;">કહેવાય છે ને દરેક કલાકારનો એક ઉદય હોય છે અને અસ્ત પણ. ધીરે ધીરે માઈકલ પોતાના પ્રશંસકોની નજરેથી દૂર થવા લાગ્યાં. માઈકલની ચહેરાની ચામડીમાં થતા પરિવર્તને તેના પ્રશંસકો વચ્ચે અવાર-નવાર કુતુહલ ઉત્પન્ન કર્યું. અધુરામાં પૂરુ વર્ષ 1994 માં બાળકો સાથે યૌન શોષણને લઈને ઉભા થયેલા વિવાદે અને પોતાની પત્ની લીસા મેરી સાથેના તેના સંબંધોએ માઈકલની કારકિર્દી પણ વિરામ લાવ્યો. જો કે માઈકલે બાદમાં ડેબી રોવ સાથે લગ્ન કર્યા પરંતુ આ લગ્ન જીવન પણ લાંબુ ન ટકી શક્યું. ડેબી સાથેના લગ્ન જીવનમાં માઈકલ પ્રિન્સ માઈકલ અને પેરીસ માઈકલ નામની બે સંતાનોના પિતા બન્યાં.</span></p><span style="color:#3333ff;">આ અરસામાં માઈકલ ફરી વિવાદોમાં ઘેરાયા જ્યારે મીડિયામાં માઈકલ દ્વારા પોતાના ત્રીજા બાળક પ્રિન્સ માઈકલ-2 ને છત પરથી ફેંકતી તસવીરો પ્રસારિત થઈ. 2003 માં ફરી એક બાળકે માઈકલ પર યૌનશૌષણનો આરોપ લગાવ્યો. માઈકલને અટકાયતમાં લેવામાં આવ્યાં અને બાદમાં છોડી દેવામાં આવ્યાં. લોકોની ટીકાથી બચવા માટે માઈકલને નેવરલેંડ રેન્ચ સ્થિત પોતાનું મકાન વેંચવું પડ્યું.</span><br /><span style="color:#3333ff;"></span><br /><span style="color:#3333ff;">કુદરતે પણ આ કલાકાર પર કહેર વરસાવામાં કોઈ કસર ન છોડી અને એક ગંભીર કેંસરની બીમારી તેમના શરીરમાં પ્રવેશી. માઈકલ પોતાના પ્રશંસકો વચ્ચે પરત ફરવા ઈચ્છતાં હતાં. જુલાઈ 2009 માં તેમનો એક વિશાળ સ્ટેજ શો પણ યોજાવાનો હતો. જેની ટિકીટો પણ વહેંચાઈ ચૂકી હતી પરંતુ આ સ્ટેજ શો ના પ્રિમિયરના બે સપ્તાહ પૂર્વે જ આ મહાન કલાકાર આ દુનિયાને છોડીને ચાલ્યો ગયો.</span><br /><br /><br /><p><span style="color:#3333ff;">માઈકલે પોતાના જીવનના ચાર દર્શકા પોપ સંગીત ફિલ્મ અને ટેલીવિઝનને આપ્યાં. ભાગ્યે જ હવે દુનિયાને માઈકલ જેવો અન્ય કોઈ ડાન્સર મળી શકશે. ભગવાન તેની આત્માને શાંતિ અર્પે એજ અભ્યર્થના.</span></p>Janakhttp://www.blogger.com/profile/06111052162931161072noreply@blogger.com0tag:blogger.com,1999:blog-9044141999650980972.post-4979413217889566892009-05-18T08:12:00.000-07:002009-05-18T08:27:20.918-07:00''નકશો તો આપમેળે બન્યો''<a onblur="try {parent.deselectBloggerImageGracefully();} catch(e) {}" href="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi0duewmJVVM1DcbfGO5mfDs20gxTHJO5_fj0S4pddlLZCjgZhTriknvEQvSfhxLVpFMd_835N0kw4dWpwunXeEPPzO87n7s-p1lMyX_uo4ya4f4Yg0qtqeRx77Zkt3474FIj8LcbekcX7Z/s1600-h/26056742.JapanThaiair101.jpg"><img style="margin: 0pt 10px 10px 0pt; float: left; cursor: pointer; width: 240px; height: 320px;" src="https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi0duewmJVVM1DcbfGO5mfDs20gxTHJO5_fj0S4pddlLZCjgZhTriknvEQvSfhxLVpFMd_835N0kw4dWpwunXeEPPzO87n7s-p1lMyX_uo4ya4f4Yg0qtqeRx77Zkt3474FIj8LcbekcX7Z/s320/26056742.JapanThaiair101.jpg" alt="" id="BLOGGER_PHOTO_ID_5337185143051310450" border="0" /></a><span style="color: rgb(51, 102, 255);">એક વખત એક નાનકડો બાળક તેના પિતાને વારંવાર હેરાન કરી રહ્યો હતો. તેના પિતાજી લાકડાની એક ખુરશી પર બેસીને છાપુ વાંચી રહ્યાં હતાં અને આ બાળક પણ પોતાની ધૂનમાં મસ્ત રહીને તેના પિતાના પગના પાઈચા ખેચીને રમત કરી રહ્યો હતો. </span> <span style="color: rgb(51, 102, 255);"><br /><br />થોડી વાર સુધી તેના પિતા કંઈ ન બોલ્યાં પણ બાળક હજુ ગેલમાં જ હતો અંતે તેના પિતાજી થાક્યાં અને તેમણે એક કીમિયો શોધી કાઢ્યો. તેમણે છાપાનું એક પન્નુ કાઢ્યું. જેમાં કોઈ દેશનો નકશો હતો. પિતાજીએ આ નકશાના આડા-અવળા ચાર-પાંચ ટુકડા કર્યાં અને પછી આ ટુકડા બાળકના હાથમાં સોંપતા કહ્યું ''ચાલ બેટા આ નકશો જોડી આપ તો.''<br /><br /><br /></span><span style="color: rgb(51, 102, 255);">તેમને એમ હતું કે, પોતાનું સંતાન આ નકશાને જોડવામાં ઓછામાં ઓછી અડધી અથવા એક કલાક તો કાઢી જ નાખશે અને ત્યાં સુધીમાં તેઓ પણ નિરાંતે પોતાનું છાંપી વાચી શકશે પરંતુ બન્યું એવું જેવું તેમણે ધાર્યું ન પણ ન હતું. </span> <span style="color: rgb(51, 102, 255);">બાળકે માત્ર બે જ મિનિટમાં નકશો જોડી આપ્યો. પોતાના પુત્રની ચતુરાઈ પણ પિતાને આશ્વર્ય થયું તેમણે પુછ્યું 'બેટા આવો અઘરો નકશો તે આટલી જલ્દી કેવી રીતે જોડી નાખ્યોં કદાચ મેં ખુદ તેને જોડવાનો પ્રયત્ન કર્યો હોત તો મારે ઓછામાં ઓછી દસ મિનિટ જરૂર લાગત તો પછી તે કેવી રીતે જોડી નાખ્યો.'' </span> <span style="color: rgb(51, 102, 255);"><br /><br />બાળકે પોતાની નિર્દોષ આંખો વડે તેમની સામે સ્મિત ફરકાર્વ્યું અને પછી ઘણા ધીરા સ્વરે પોતાના પિતાને કહ્યું '' પપ્પા મેં નકશો નથી જોડ્યાં મેં તો આ નકશા પાછળ એક વ્યક્તિનો ફોટો હતો તેને જોડ્યો છે તેના હાથ-પગ, માથાને જોડ્યું છે નકશો તો આપોઆપ જ બની ગયો. </span><br /><br /><span style="color: rgb(255, 102, 0);">જનકસિંહ ઝાલા (09754144124) </span>Janakhttp://www.blogger.com/profile/06111052162931161072noreply@blogger.com0tag:blogger.com,1999:blog-9044141999650980972.post-53970307782511418942009-05-18T07:56:00.000-07:002009-05-18T08:03:13.581-07:00સમયની કીમતઆજના વ્યસ્ત જીવનમાં વ્યક્તિ હમેશા કહેતો ફરે છે કે, 'ભાઈ ટાઈમ ક્યાં છે ?'' આમ જોઈએ તો તેઓ સાચુ જ કહે છે. કારણ કે, આજના સમયમાં કોઈની પાસે સમય નથી. પરંતુ સમયની સાચી કીમત છે એ તમે જાણો છો ? ચાલો હું જ જણાવી દઉ. દરેક વ્યક્તિ માટે સમયની કીમત અલગ-અલગ પ્રકારે હોય છે. નીચા ઉદાહરણો જ તપાસી જુઓ..<br /><br />એક મહિનાની કીમત એ માતાને પુછો જેણે એક પ્રીમેચ્યોર (અર્ધવિક્સીત) સંતાનને જન્મ આપ્યો.<br /><br />એક સપ્તાહની કીમત કોઈ સાપ્તાહિક વર્તમાન પત્રને સંપાદકને પુછો.<br /><br />એક કલાકની કીમત પ્રેમીઓને પુછો જેઓ એકબીજાને મળવા માટે હમેશા આતુર રહે છે.<br /><br />એક મિનિટની કીમત એ વ્યક્તિને જઈને પુછો જેની ટ્રેન છુટી ગઈ છે.<br /><br />એક સેક્ન્ડની કીમત એને પુછો જે દુર્ઘટનાનો ભોગ બનતા બચ્યો છે.<br /><br />એક મિલી સેકન્ડની કીમત એ વ્યક્તિને પુછો જેણે ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યું છે.Janakhttp://www.blogger.com/profile/06111052162931161072noreply@blogger.com0tag:blogger.com,1999:blog-9044141999650980972.post-734935067312382582009-05-18T07:16:00.000-07:002017-05-30T10:20:37.092-07:00'અટામણ' અને મારો પરિચય...<div dir="ltr" style="text-align: left;" trbidi="on">
મિત્રો મારુ નામ જનકસિંહ ઝાલા છે. વ્યવસાયે પત્રકાર છું. રાજકોટના દૈનિક વર્તમાન પત્ર ફૂલછાબમાં કાર્યરત છું. આજે તમારે સામે એક નવો ગુજરાતી બ્લોગ લઈને આવી રહ્યો છું. નામ થોડુ વિચિત્ર જરૂર રાખ્યું છે 'અટામણ'.<br />
<br />
તમે બધા અટામણ શબ્દનો સાચો અર્થ તો જાણતા જ હતો. ચાલો હું જણાવી દઉ. 'અટામણ' એટલે રોટલી, થેપલા વણવા સાથે વપરાતો અને અંતે નકામો જતો કોરો લોટ.<br />
<br />
મગજમાં આ શિર્ષક જ ઉચિત લાગ્યું. કારણ કે, અહીં રોટલી, થેપલા અર્થમાં મેં મારા દ્વારા પ્રાપ્ત થયેલી માહિતીને ધ્યાનમાં રાખી અને નકામા લોટ ને સ્થાને આ માહિતીની બાદ બાકી રહેતો ઉપસંહાર કેન્દ્રસ્થાને રાખ્યો.બની ગયુંને અટામણ...<br />
<br />
<br /></div>
Janakhttp://www.blogger.com/profile/06111052162931161072noreply@blogger.com0